By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિંસા-આગજની-રસ્તાઓ પર લોકોના ટોળાં, શ્રીલંકામાં બેકાબૂ સ્થિતિ વચ્ચે ઈમરજન્સી લાગુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિંસા-આગજની-રસ્તાઓ પર લોકોના ટોળાં, શ્રીલંકામાં બેકાબૂ સ્થિતિ વચ્ચે ઈમરજન્સી લાગુ
GeneralInternational

હિંસા-આગજની-રસ્તાઓ પર લોકોના ટોળાં, શ્રીલંકામાં બેકાબૂ સ્થિતિ વચ્ચે ઈમરજન્સી લાગુ

HM News
Last updated: 02/04/2022 8:10 AM
HM News
3 years ago
Share
SHARE

– ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે

કોલંબો, તા. 02 એપ્રિલ 2022, શનિવાર : શ્રીલંકામાં આગજની,હિંસા,પ્રદર્શન,સરકારી સંપત્તિઓમાં તોડફોડ વગેરે ચાલી રહ્યું છે.લાંબા પાવર કટ,ખાવા-પીવાની ચીજ વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ભારતના આ પાડોશી દેશમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી લાગુ કરી દીધી છે.

પહેલી એપ્રિલથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે, આવશ્યક વસ્તુઓનો સપ્લાય જાળવી રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે.

આ પ્રકારની ઈમરજન્સી દ્વારા રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પબ્લિક સિક્યોરિટી અધ્યાદેશની જોગવાઈઓને લાગુ કરી દીધી છે.તેનાથી તેમને સાર્વજનિક સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થાના સંરક્ષણ,વિદ્રોહના દમન,હુલ્લડો કે નાગરિકો દ્વારા કરવામાં આવતા તોફાનો, આવશ્યક વસ્તુઓના સંગ્રહને લઈ નિયમો બનાવવાનો અધિકાર મળી ગયો છે.ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે.તેઓ કોઈ પણ કાયદાને બદલી કે સસ્પેન્ડ પણ કરી શકે છે.

શ્રીલંકામાં વ્યાપક પ્રદર્શન

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 13-13 કલાકના પાવર કટનો સામનો કરી રહેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગણી કરી રહી છે.

રાષ્ટ્રપતિ આવાસનો ઘેરાવો

પ્રતિબંધો, તંગી અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલી શ્રીલંકાની જનતા શુક્રવારે રાતે કોલંબોમાં રસ્તાઓ પર ઉતરી આવી હતી.આશરે 5,000થી પણ વધારે લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘર તરફ રેલી યોજી હતી.જોકે રસ્તામાં જ પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને પોલીસે 54 લોકોની ધરપકડ કરી હતી.

સેનાની ગાડીઓ સળગાવી

હિંસા,મારપીટ અને આગજનીમાં 24 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.તે સિવાય અનેક નાગરિકો પણ ઘાયલ થયા છે.પ્રદર્શનકારીઓએ સરકાર અને સેનાની અનેક ગાડીઓને આગને હવાલે કરી હતી.

કોરોનાનાં તાંડવ વચ્ચે પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ, કોવિડ-19નું ગઢ બન્યું આ શહેર
વડોદરા લવજેહાદ કેસમાં વળાંક : પિતાની તેરમાની વિધિ પુરી કરી હિન્દુ યુવતી મુસ્લિમ યુવાન સાથે ફરી પલાયન
બિટકોઇનના વળતા પાણી, રોકાણકારોની ઉંઘ હરામ, બે દિવસમાં ધડામ કરતાં પછડાયો
કનૈયાલાલની હત્યાનો આરોપી 2014માં કરાંચી ગયો હતો- રાજસ્થાન પોલીસનો ખુલાસો
આવતીકાલથી બંધ થઈ જશે સરકારી કર્મચારીઓને મળનારી મોટી સુવિધા, જાણો નવી ગાઈડલાઈન
Share This Article
Facebook Email Print
Previous Article tastyworks Trading Platform Tutorial
Next Article મોદી સરકારની મોટી સફળતા, ભારતે પહેલી વખત મંદી વચ્ચે પણ તોડ્યો નિકાસનો રેકોર્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up