ધમણ-માસ્ક પછી કોવિડના લાઈફ સેવીંગ ઈન્જેકશનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું છે.વિપક્ષ કોંગ્રેસના પક્ષ પ્રમુખ અમિત ચાવડાને રાયકક્ષાના આરોગ્ય મંત્રી કમલ કાનાણીના શબ્દો હું પણ ઈન્જેકશન શોધુ છું ત્યારે ભગવાન ભરોસે જનતા છે તેવું નિવેદન કર્યુ છે.ધમણ-માસ્ક પછી કોરોનાના ઈન્જેકશનને સરકાર કૌભાંડ કરી રહી હોવાના આક્ષેપો કર્યા છે.કોરોનામાં ત્રીજા ક્રમે કેસ ધરાવતા દેશ પ્રચડં મહામારીનો શિકાર થયો છે.તેવા સંજોગોમાં ઈન્જેકશનોના કાળાબજાર સરકારી હોસ્પિટલના કર્મચારીઓ દ્રારાજ કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને લૂંટી રહ્યા છે.
આવા સળસળતા આક્ષેપ સામે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે મોડી સાંજે પત્રકાર પરિષદ યોજીને અન્ય રાયોની સરખામણીએ ગુજરાતમાં દર્દીઓ માટે મોંઘા ઈન્જેકશનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૮૪૦ જેટલા દર્દીઓને આ ઈન્જેકશન આપવામાં આવ્યા છે. જેની બજાર કિંમત ૪૫ હજાર રૂપિયા છે. આ ઈન્જેકશન યેસીલીઝુમેબનો વધુ જથ્થો મેળવવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી થઈ છે.આ સિવાય રેમડેસીવીર ૮૦૮૦ ઈન્જેકશનનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે ઈન્જેકશનોની માત્રા ઓછી હોવાથી તંગી છે.સ્વીત્ઝરલેન્ડની રોજ કંપની આ ઈન્જેકશનનું ઉત્પાદન કરે છે જેની ભારતની ડિલરશિપ સિવલા કંપની પાસે છે.દર્દીઓના હિતમાં આ ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે.
કોંગ્રેસના નેતાઓને કોરોના થયો છે તેમને પણ સરકાર દ્રારા શ્રે સારવાર આપવામાં આવી રહી છે. રાય સરકાર કોરોનાની સારવારને લઈ શ્રેતમ સુવિધા સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક આપવામાં આવી છે.આમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ઈન્જેકશનને લઈ કોંગ્રેસે સરકારને ભીડતા મામલો ગરમાયો છે. સરકાર વતી આરોગ્ય મંત્રી નીતિન પટેલ સરકારના બચાવની ભૂમિકામાં આવી ચૂકયા છે.