By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘હું BJPમાં જ છું, મારો છેલ્લો કુદકો લાકડા એટલે કે સ્મશાનમાં જ હશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘હું BJPમાં જ છું, મારો છેલ્લો કુદકો લાકડા એટલે કે સ્મશાનમાં જ હશે
GeneralNationalPolitics

‘હું BJPમાં જ છું, મારો છેલ્લો કુદકો લાકડા એટલે કે સ્મશાનમાં જ હશે

HM News
Last updated: 18/03/2020 8:53 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીના કારણે કોંગ્રેસમાં તણાવનો માહોલ છે ત્યારે કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ ચિંતા શરૂ થઈ છે. ભાજપનાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી ભાજપના નેતા ચિંતામાં પડી ગયા છે. રાઉલજી ભાજપના ઉમેદવારને મત નહીં આપે અને ક્રોસ વોટિંગ કરશે તેવા મેસેજ વાયરલ થયા બાદ રાજનીતિ ગરમાઈ ગઈ હતી. ત્યારબાદ ભારે હોબાળા બાદ ભાજપના MLA સી.કે.રાઉલજીએ ગૃહમાં પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.

સી.કે.રાઉલજીએ પોતાના પક્ષને જણાવ્યું હતું કે, મારી કોઈ માગણી નથી,બીજા કોઈની હોય તો સાંભળજો. નહીંતર કોંગ્રેસ જેવી આપણી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. હું ભાજપમાં જ છું, મારો છેલ્લો કુદકો લાકડા એટલે કે સ્મશાનમાં હશે. તમને જણાવીએ કે આજે ભાજપનાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી શંકરસિંહના કહેવાથી ક્રોસ વોટિંગ કરશે તેવા મેસેજ વાયરલ થયા હતા.

બીજી બાજુ જણાવીએ તો, ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાય છે. ચૂંટણી ટાણે સક્રિય થતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આજે એક એવી અફવાહ ફેલાઈ હતી કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા મંત્રી સી.કે.રાઉલજીને પ્રધાનપદ મળવા સહિતની માગણીઓ ન સંતોષાતાં નારાજ થતા તેમણે શંકરસિંહ વાઘેલાના માધ્યમથી તોડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ પ્રયાસને સફળતા મળતી હોવાનો નિર્દેશ મળતા કોંગ્રેસના મોવડી મંડળનો જુસ્સો વધ્યો હતો અને તેમણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો તેવો દાવો પણ કરાયો હતો. પરંતુ આજે આ મુદ્દે ગૃહમાં જ જાતે સી.કે.રાઉલજીએ ખુલાસો કર્યો હતો.

સી.કે. રાઉલજીએ ગૃહમાં આજે સ્પષ્ટતા કરી હતી કે, હું ભાજપમા જ છું. હવે મારો છેલ્લો કુદકો લાકડામાં હશે, એટલે કે સ્મશાનમાં હશે. હાલ જે સોશિયલ મીડિયામાં શંકરસિંહ વાઘેલાના કહેવાથી ક્રોસ વોટીંગ કરવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે સાવ ખોટા છે. જેથી તેમણે સી કે રાઉલજીએ ગૃહમાં ચેતવણી આપતા જણાવ્યું કે, મારી પક્ષ પાસે કોઈ માંગણી નથી. બીજાની કોઈની હોય તો સાંભળજો. નહિતર કોંગ્રેસ જેવી આપણી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખજો. સી કે રાઉલજીએ વિધાનસભા ગૃહમાં જ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.

આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ,ત્રણ દિવસ સુધી નહીં થાય કામ,જાણો કારણ
હવે તમારા ઘરના કામો કરશે Robot, જાણો વિગતો
જાણો, ચીન ક્રિકેટમાં કેમ ભાગ લેતું નથી ? ચીનના આ શહેરને છે ક્રિકેટ સાથે સદીઓ જુનો નાતો
દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ :ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં કરાયું સર્ચ
સવાબે વર્ષની બાળકી બની યંગેસ્ટ હોર્સ રાઇડર
Share This Article
Facebook Email Print
Previous Article સુરત એરપોર્ટ પર કસ્ટમ કર્મચારીઓ ચોંકી જાય તેવી ઘટના
Next Article ‘વેચાયેલો માલ પરત ના લેતા’ : જિજ્ઞોશ મેવાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up