[weather_data]
Breaking News
TRENDING NEWS

હેલિકોપ્ટર ક્રેશ : બચી ગયેલા એક માત્ર અધિકારી ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ માટે 48 કલાક મહત્વના, આ વર્ષે જ શૌર્ય ચક્ર મળ્યો હતો

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી,તા.9.ડિસેમ્બર : તામિલનાડુના હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર સૈન્ય અધિકારી અને વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહની હાલત ગંભીર છે.

વરુણ સિંહના કાકા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યુ હતુ કે, બુધવારે રાતે વરુણ સિંહ પર ડોકટરોએ સર્જરી કરી છે.એ પછી તેમને આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરાયા છે.ડોકટરોનુ કહેવુ છે કે, આગામી 48 કલાક બહુ મહત્વના છે.હાલમાં તેમની વેલિંગ્ટન આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે જ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા.2020માં તેઓ તેજસ ફાઈટર જેટ ઉડાવી રહ્યા હતા અ્ને તેમના એરક્રાફ્ટમાં ખામી સર્જાઈ હતી.આમ છતા તેમણે પોતાના એરક્રાફ્ટને સહીસલામત લેન્ડ કરાવ્યુ હતુ.આ માટે તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યો હતો.ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ બે સંતાનોના પિતા છે.વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં સીડીસી જનરલ રાવત સહિત 13 લોકોના નિધન થયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વરુણ સિંહને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles