નવા નવા ભાજપાઈ બનેલા જ્યોતિરાદિત્યને કોરોના વાયરસના કહેર વચ્ચે પણ ચૂંટણીની ચિંતા કરી રહ્યા છે.બીજી તરફ રાજ્ય સરકાર અને સમગ્ર પ્રસાશન કોરોના વાયરસને રોકવા કામ કરી રહ્યા છે.સિંધિયા કાર્યકર્તાઓને ફોન કરીને ચૂંટણી માટે મદદ માંગી રહ્યા છે.જો કે સિંધિયાને ફોને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને કોંગ્રેસ પાર્ટીને હુમલો કરવાનો મોકો આપી દીધો છે.
કાર્યકર્તાનો આવી રીતે કરી રહ્યા છે સંપર્ક
રાજ્યમાં ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડેલી સીટો ઉપર છ મહિનાની અંદર ચૂંટણી થવાની છે.કોંગ્રેસથી અલગ થઈને ભાજપમાં પહેંચેલા સિંધિયાએ પોતે પોતાના ધારાસભ્યોની જીતનું બીડુ ઉપાડ્યું છે.તે નેતાઓ અને કાર્યકર્તાઓને ફોન કરીને ચૂંટણી માટે તૈયાર રહેવાની અપીલ કરી રહ્યા છે. સિંધિયાએ સાવેરના કાર્યકર્તા સુધિરને ફોન કરીને કહ્યું, હું સિંધિયા બોલુ છુ.પેટાચૂંટણી માટે સારી રીતે તૈયારી કરજો.ઘરમાં પણ બધાને કહી દેજો કે મે ફોન કર્યો હતો.
સાવેરના ધારાસભ્ય છે તુલસી સિલાવટ
હકિકતમાં ઈંદોર જિલ્લાની સાવેર સિટથી તુલસી સિલાવટ ચૂંટણી જીત્યા હતા અને અત્યારે શિવરાજ સિંહ ચૌહાણની કેબીનેટમાં મંત્રી છે.આ પહેલા તે કમલનાથના નેતૃત્વવાળી સરકારમાં પણ સ્વાસ્થ્ય મંત્રી હતા.સિંધિયા સમર્થક સિલાવટે કોંગ્રેસ છોડ્યા બાદ રાજીનામું આપ્યું હતું.મંત્રી બની રહેવા માટે તેમણે ચૂંટણી જીતવી જરૂરી છે.એટલે કોરોનાની મહામારી વચ્ચે સિંધિયાને તેની જીતનું બીડુ ઉપાડ્યું છે.
કોંગ્રેસે સાધ્યું નિશાન
સિંધિયાના ફોન બાદ કોંગ્રેસ હમલાવર થઈ ગઈ છે.પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના મીડિયા પ્રભારી નરેન્દ્ર સલૂજાએ ટ્વીટ કરીને કહ્યું કે આ સમય મહામારી સામે લડવાનો છે,પરંતુ સિંધિયા લોકોને ફોન કરીને ચૂંટણી જીતાડવાની તૈયારી કરી રહ્યા છે. આવા સમયે રાજનીતિ કરવી ઠીક નથી.આનાથી ખબર પડે કે સિંધિયા કેવા જન સેવક છે.