મુંબઇ,તા.૧૯ : વેપારીએ સપ્લાયર પાસેથી માલની ખરીદી કર્યા બાદ ૧૮૦ દિવસમાં નાણાંની ચુકવણી કરવામાં આવી નહીં હોય અને વેપારીએ તે પેટે આઇટીસી લઇ લીધી હોય તો આઇટીસી રિવર્સ કરવાની સાથે વ્યાજ અને દંડની ચુકવણી કરવી પડશે.
સપ્લાયર પાસેથી માલની ખરીદી કર્યા બાદ વેપારીને નાણાંની ચુકવણી કરવા માટે ૬૦થી ૯૦ દિવસનો સમય આપવામાં આવે છે.ત્યાર બાદ સપ્લાયરને જેટલું મોડું પેમેન્ટ ચૂકવવામાં આવે તે પ્રમાણે વ્યાજની વસૂલાત પણ કરવામાં આવતી હોય છે.જયારે સપ્લાયર પાસેથી માલની ખરીદી કર્યા બાદ વેપારી તે માલના આધારે ઇનપુટ ટેકસ ક્રેડિટ લઇ લેતા હોય છે.
જયારે સપ્લાયરને નાણાં મળ્યા નહીં હોવાથી તેઓ દ્વારા જીએસટી ભરપાઇ કરવામાં આવ્યો હોતો નથી. જયારે વેપારીએ આઇટીસી લઇ લીધી હોવાના લીધે જીએસટીને નાણાં મળતા પહેલા જ ક્રેડિટ વેપારીએ લીધી હોવાથી જીએસટીની આવક પર અસર થતી હોય છે,તેને ધ્યાને રાખીને સપ્લાયર પાસેથી વેપારીએ માલની ખરીદી કર્યા બાદ ૧૮૦ દિવસમાં જો તેને નાણાંની ચુકવણી કરવામાં આવી નહીં હોય તો વેપારીએ આઇટીસી રિવર્સ કરવાની સાથે વાપરેલી ફ્રેડિટનું વ્યાજ પણ ભરપાઇ કરવું પડશે,તેના કારણે સપ્લાયરને સમયસર પેમેન્ટ મળતા જીએસટી ભરપાઇ કરી દેશે અને તેના કારણે સરકારને જીએસટી થકી થતી આવકને પણ નુકસાન નહીં થાય તેને ધ્યાને રાખીને પગલાં ભરવામાં આવી રહ્યા છે.
નાણાં નહીં ચૂકવે તો આઇટીસી રિવર્સ કરવી પડશે
કેટલાક વેપારીઓ દ્વારા માલની ખરીદી કર્યા બાદ સમયસર નાણાની ચુકવણી કરતા નથી પરંતુ આઇટીસી લઇ લેતા હોય છે,તેવા અનેક કિસ્સા જીએસટીને ધ્યાને આવતા હવેથી ૧૮૦ દિવસમા વેપારી દ્વારા સપ્લાયર પાસેથી માલ ખરીદી કરીને નાણાંની ચુકવણી નહીં કરી હોય તો આઇટીસી સ્વિર્સ કરવી પડશે, નહીં તો વ્યાજ અને દંડની વસુલાત કરવામાં આવશે.


