[weather_data]
Breaking News
TRENDING NEWS

૨૦૧૪માં કોંગ્રેસના પરાજય માટે સોનિયા – મનમોહન જવાબદાર

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી તા. ૧૨ : દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તકમાં કેટલાક હલચલ મચાવે તેવા ખુલાસાઓ કર્યા છે.તેમણે લખ્યું છે કે હું રાષ્ટ્રપતિ બન્યો તે પછી કોંગ્રેસ દિશાથી ભટકી ગઇ હતી.તેમણે લખ્યું છે કે,૨૦૧૪માં કોંગ્રેસના પરાજય પાછળ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જ જવાબદાર હતા.પ્રણવ મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે પક્ષના કેટલાક સભ્યોનું એવું માનવું હતું કે, જો ૨૦૦૪માં મને વડાપ્રધાનપદ સોંપાયું હોત તો ૨૦૧૪માં કોંગ્રેસ આકરા પરાજયનો સામનો કરવો ન પડત.મુખર્જીએ પોતાના નિધન પહેલા પુસ્તક ‘ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ’ લખી હતી જે જાન્યુઆરી ૨૦૨૧માં પ્રકાશિત થશે.તેમની ટીપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે કોંગ્રેસ આંતરિક ઉથલ-પાથલના દોરમાંથી પસાર થઇ રહેલ છે.પોતાના સંસ્મરણના એક અંશ અનુસાર નરેન્દ્ર મોદીનું વલણ તાનાશાહી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક ‘ધ પ્રેસિડેન્શિયલ યર્સ’મા કોંગ્રેસના પતનને લઈને ઘણા ખુલાસા કર્યા છે.આગામી વર્ષે બજારમાં આવનાર આ પુસ્તકમાં ૨૦૧૪માં કોંગ્રેસને મળેલી હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે હાર માટે ઘણી હદ સુધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જવાબદાર હતા.તેવા સમયે જયારે કોંગ્રેસ નેતૃત્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે,ત્યારે આ પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ ઉભો થવાની આશંકા છે.

પ્રણવ મુખર્જી પોતાના નિધન પહેલા સંસ્મરણ ‘ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ’ લખી ચુકયા છે.રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી ૨૦૨૧માં વાચકો માટે ઉપલબ્ધ થશે.મુખર્જીનું કોરોના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે આ વર્ષે ઓગસ્ટમાં ૮૪ વર્ષની ઉંમરે નિધન થયુ હતુ.પુસ્તકમાં પશ્ચિમ બંગાળના એક ગામથી દેશના રાષ્ટ્રપતિ ભવન સુધી તેમની સફર વિશે જણાવવામાં આવ્યું છે.સાથે કોંગ્રેસના પતન અને પાર્ટીમાં ઉભા થયેલા મતભેદો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પોતાના પુસ્તકમાં મુખર્જીએ આગળ લખ્યુ છે,પાર્ટીના કેટલાક સભ્યોનું તે માનવું હતું કે જો ૨૦૦૪માં તે પ્રધાનમંત્રી બન્યા હોત તો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પરાજયનો સામનો ન કરવો પડત.પરંતુ આ વાતમાં હું વિશ્વાસ નથી રાખતો.હું તે માનુ છું કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ પાર્ટીના નેતૃત્વએ રાજકીય દિશા ગુમાવી દીધી.સોનિયા ગાંધી પાર્ટીના મામલાને સંભાળવામાં અસમર્થ હતા.તો મનમોદન સિંહની ગૃહમાં લાંબી ગેરહાજરીને કારણે સાંસદોની સાથે કોઈપણ વ્યકિતગત સંપર્ક પર વિરામ લાગી ગયો.

પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના પુસ્તકમાં આગળ લખ્યુ છે, ‘મારૂ માનવું છે કે શાસન કરવાનો નૈતિક અદિકાર પ્રધાનમંત્રી સાથે જોડાયેલો છે. રાષ્ટ્રની સમગ્ર સ્થિતિ પીએમ અને તેમના તંત્રના કામકાજને પ્રતિબિંબિત કરે છે,જયારે મનમોહન સિંહને ગઠબંધન બનાવવાની સલાહ આપવામાં આવી,તેઓ ગઠબંધનને સાચવી રાખવાનું વિચારતા હતા અને તેની અસર સરકાર પર પણ દેખાતી હતી.તો નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં સર્વાધિકારી શૈલીને અપનાવતા પ્રતીત થઈ જે સરકાર,કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે મજબૂત સંબંધોના દ્વારા જોવા મળી હતી.’

તેમણે લખ્યું છે કે, ૨ જુન ૨૦૧૨ના રોજ સોનિયા ગાંધીએ મને કહ્યું હતું કે, તમે રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છો.જો કે મુખર્જીને લાગ્યું હતું કે, ડો. મનમોહનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકાયા હોત અને મને પીએમ તરીકેનો કાર્યભાર સોંપાઇ શકયો હોત.હું રાષ્ટ્રપતિ બન્યો તે પછી પક્ષ દિશાવિહિન બની ગયો હતો.સોનિયા પક્ષને સંભાળવા સક્ષમ ન્હોતા અને ડો. સિંહ લાંબા સમય સુધી ગૃહથી દુર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles