ગુજરાત પોલીસ વિભાગમાં માં કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ તરીકે ખાતાકીય બઢતી મેળવવા માંગતા કર્મચારીઓ માટે મોડ ૨ એક્ઝામનું ૨૦૧૫-૧૬માં આયોજન થયું હતું.ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઇ બનવા માટે લેવાયેલી આ પરીક્ષા બાબતે ચાલી રહેલી સ્પેશિયલ લિવ પિટિશનમાં ગુજરાત ગૌણ સેવા મંડળે આજે પરીક્ષા પેપર ચકાસણીના પુન:મુલ્યાંકન અંગે એફિડેવિટ રજુ કર્યું હતું. જેમાં અગાઉ પાસ ૩૭૬ પીએસઆઈમાંથી ૫૨ પીએસઆઈ પુન:મૂલ્યાંકનમાં ગેરલાયક ઠર્યા છે.હવે ઉકેલ ન આવે ત્યાં સુધી આ તમામને ફરીથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત ગૌણ સેવા મંડળે આજે પરીક્ષા પેપર ચકાસણીના પુન:મુલ્યાંકન અંગે રજૂ કરેલા સોગંદનામાના પગલે આ ૫૨ પીએસઆઈ આગામી સમયમાં આ પુન:મૂક્યાંકનના પરિણામ સામે ઉપલી કોર્ટમાં અરજી થાય તેવી પૂરેપૂરી શકયતા જણાઈ રહી છે. મોડ-૨ પી.એસ.આઈનું પરિણામ જાહેર થતા તેમાં ૩૭૬ ઉમેદવાર પાસ થયા હતા.જેની સામે ૭૦ પરિક્ષાર્થી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.જે અંતર્ગત ગૌણ સેવા મંડળે હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું.જેમાં મેરીટ ઊંચું જવાથી ૫૨ પી.એસ.આઈ ગેરલાયક ઠર્યા છે.તેમજ ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી ૮ ઉમેદવાર પાસ જાહેર થયા છે.આ પરીક્ષા લેવાય બાદ જેનું પરિણામ ૨૦૧૭માં જાહેર થયું.આ લેખિત પરીક્ષાની જવાબદારી ગૌણ સેવા મંડળને સોંપાઈ હતી.જેમાં ૩૭૬ ઉમેદવારો કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ તરીકે સફળ રહ્યા હતા.તેઓએ ૨૦૧૮માં ટ્રેનિંગ પુરી કરીને હાલ તમામને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યા છે.જોકે આ મામલે મેઈન એક્ઝામમાં ઈંગ્લિશ અને ગુજરાતી પેપરમાં વ્યાકરણના કુલ પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નોના જવાબ લખવા અને તે જ જવાબ ક્રમ મુજબ ચેક કરી માર્ક્સ મુકાશે તેવી સૂચના હતી.આ બાબતે અમુક ઉમેદવારે વાંધો ઉઠાવી હાઇકોર્ટમાં અપીલમાં ગયા હતા.
આ અંગેની સુનાવણીમાં ગૌણ સેવાએ તેઓ પુન:મુલ્યાંકન કરશે તેવો જવાબ આપ્યો હતો.દરમિયાનમાં પુન: મુલ્યાંકન કર્યાની એફિડેવિટ ગૌણ સેવાએ હાઈકોર્ટમાં કરી હતી. આ એફિડેવીટમાં પુન: મુલ્યાંનકનમાં ૫૨ ઉમેદવાર નપાસ થયા નું જાહેર કરવામાં આવ્યો છે.જ્યારે જે ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી આઠ ઉમેદવાર પાસ થયા છે.હવે આ નિર્ણય બાદ ખાતાકીય પરીક્ષા પાસ કરીને હાલ પીએસઆઈ નું પોસ્ટિંગ મેળવનાર જેટલા પીએસઆઇને ફરી કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં પરત ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે.