By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૨૦૧૮ બેચના ૫૨ જેટલા પીએસઆઇને ફરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવવી પડશે!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ૨૦૧૮ બેચના ૫૨ જેટલા પીએસઆઇને ફરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવવી પડશે!!
AhmedabadGeneralGujarat Now

૨૦૧૮ બેચના ૫૨ જેટલા પીએસઆઇને ફરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવવી પડશે!!

HM News
Last updated: 29/08/2020 9:38 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત પોલીસ વિભાગમાં માં કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ તરીકે ખાતાકીય બઢતી મેળવવા માંગતા કર્મચારીઓ માટે મોડ ૨ એક્ઝામનું ૨૦૧૫-૧૬માં આયોજન થયું હતું.ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઇ બનવા માટે લેવાયેલી આ પરીક્ષા બાબતે ચાલી રહેલી સ્પેશિયલ લિવ પિટિશનમાં ગુજરાત ગૌણ સેવા મંડળે આજે પરીક્ષા પેપર ચકાસણીના પુન:મુલ્યાંકન અંગે એફિડેવિટ રજુ કર્યું હતું. જેમાં અગાઉ પાસ ૩૭૬ પીએસઆઈમાંથી ૫૨ પીએસઆઈ પુન:મૂલ્યાંકનમાં ગેરલાયક ઠર્યા છે.હવે ઉકેલ ન આવે ત્યાં સુધી આ તમામને ફરીથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત ગૌણ સેવા મંડળે આજે પરીક્ષા પેપર ચકાસણીના પુન:મુલ્યાંકન અંગે રજૂ કરેલા સોગંદનામાના પગલે આ ૫૨ પીએસઆઈ આગામી સમયમાં આ પુન:મૂક્યાંકનના પરિણામ સામે ઉપલી કોર્ટમાં અરજી થાય તેવી પૂરેપૂરી શકયતા જણાઈ રહી છે. મોડ-૨ પી.એસ.આઈનું પરિણામ જાહેર થતા તેમાં ૩૭૬ ઉમેદવાર પાસ થયા હતા.જેની સામે ૭૦ પરિક્ષાર્થી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.જે અંતર્ગત ગૌણ સેવા મંડળે હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું.જેમાં મેરીટ ઊંચું જવાથી ૫૨ પી.એસ.આઈ ગેરલાયક ઠર્યા છે.તેમજ ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી ૮ ઉમેદવાર પાસ જાહેર થયા છે.આ પરીક્ષા લેવાય બાદ જેનું પરિણામ ૨૦૧૭માં જાહેર થયું.આ લેખિત પરીક્ષાની જવાબદારી ગૌણ સેવા મંડળને સોંપાઈ હતી.જેમાં ૩૭૬ ઉમેદવારો કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ તરીકે સફળ રહ્યા હતા.તેઓએ ૨૦૧૮માં ટ્રેનિંગ પુરી કરીને હાલ તમામને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યા છે.જોકે આ મામલે મેઈન એક્ઝામમાં ઈંગ્લિશ અને ગુજરાતી પેપરમાં વ્યાકરણના કુલ પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નોના જવાબ લખવા અને તે જ જવાબ ક્રમ મુજબ ચેક કરી માર્ક્સ મુકાશે તેવી સૂચના હતી.આ બાબતે અમુક ઉમેદવારે વાંધો ઉઠાવી હાઇકોર્ટમાં અપીલમાં ગયા હતા.

આ અંગેની સુનાવણીમાં ગૌણ સેવાએ તેઓ પુન:મુલ્યાંકન કરશે તેવો જવાબ આપ્યો હતો.દરમિયાનમાં પુન: મુલ્યાંકન કર્યાની એફિડેવિટ ગૌણ સેવાએ હાઈકોર્ટમાં કરી હતી. આ એફિડેવીટમાં પુન: મુલ્યાંનકનમાં ૫૨ ઉમેદવાર નપાસ થયા નું જાહેર કરવામાં આવ્યો છે.જ્યારે જે ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી આઠ ઉમેદવાર પાસ થયા છે.હવે આ નિર્ણય બાદ ખાતાકીય પરીક્ષા પાસ કરીને હાલ પીએસઆઈ નું પોસ્ટિંગ મેળવનાર જેટલા પીએસઆઇને ફરી કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં પરત ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે.

ગુજરાત સરકારની તિજોરીને મોટું નુકશાન જાણો નીતિન પટેલે વિભાગોને કેવા આદેશ આપ્યાં.
ઈરાકમાં આતંકવાદી સંગઠન ISIS. દ્વારા એક પરિવાર પર હુમલો, 6 ની નિર્મમ હત્યા
2023ના બજેટમાં કરદાતાઓને મળશે રાહત ? ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી !
રેલવેની દિવાળી સુધારી: ઓક્ટોબરમાં નૂરની આવક વધીને રૂ 10,405 કરોડ
કોરોના વાયરસના ફેલાવામાં વુહાનની ભૂમિકા : WHO
Share This Article
Facebook Email Print
Previous Article નિર્મલા સીતારમણે કોવિડને કહ્યો ‘એક્ટ ઓફ ગોડ’, ભડકી ઉઠ્યા સુબ્રમણ્યમ સ્વામી
Next Article મીડિયા અને સમાજ : નો ન્યુઝ ઇઝ ગૂડ ન્યુઝ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up