By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ટ્રેનોમાં ટિકિટ વગરના ૧.૭૮ કરોડ યાત્રીઓ પકડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ટ્રેનોમાં ટિકિટ વગરના ૧.૭૮ કરોડ યાત્રીઓ પકડાયા
GeneralNational

૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ટ્રેનોમાં ટિકિટ વગરના ૧.૭૮ કરોડ યાત્રીઓ પકડાયા

HM News
Last updated: 21/02/2022 5:33 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦ : રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ૧.૭૮ કરોડથી વધારે ટિકિટ વગરના યાત્રીઓ અને સામાનની બુકિંગ કરાવ્યા વગર યાત્રા કરનારાઓને પકડયા હતાં.ઉલ્લેખનીય છે કે નોન કોવિડ વર્ષ ૨૦૧૯-૨૦ની સરખામણીમાં આવા યાત્રીઓનું પ્રમાણ ૭૯ ટકા વધારે છે.માહિતીનો અધિકાર(આરટીઆઇ) હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રેલવેએ આ માહિતી આપી હતી.

કોરોના અસરગ્રસ્ત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આવા યાત્રીઓની સંખ્યા ૨૭ લાખ હતી.મધ્ય પ્રદેશના એક કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલ આરટીઆઇ હેઠળ રેલવે બોર્ડ દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આરટીઆઇ હેઠળ રેલવેએ આપેલી માહિતી મુજબ એપ્રિલથી ડિસેમ્બર,૨૦૨૧ સુધીના સમયગાળામાં ૧.૭૮ કરડોથી વધારે લોેકો ટિકિટ વગર અને સામાનનું બુકિંગ કરાવ્યા વગર પકડાયા હતાં.તેંમની પાસેથી દંડ પેટે ૧૦૧૭.૪૮ કરોડ રૃપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટ વગરના યાત્રીઓની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન સમયમાં જ્યારે મોટા ભાગના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે ત્યારે અનેક એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં ફક્ત ઓનલાઇન બુકિંગ અને મર્યાદિત સેવાઓમાં જ ઉપલબ્ધ છે.

નોન કોવિડ વર્ષ ૨૦૧૯-૨૦માં ટિકિટ વગરના ૧.૧૦ કરોડ લોેકો પકડાયા હતાં અને તેમની પાસેથી કુલ ૫૬૧.૭૩ કરોડ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

એપ્રિલ,૨૦૨૦થી માર્ચ,૨૦૨૧ દરમિયાન ૨૭.૫૭ લાખ લોકો ટિકિટ વગર પકડાયા હતાં અને તેમની પાસેથી ૧૪૩.૮૨ કરોડ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ખેડૂતો આનંદો : રાજ્ય સરકારે ખેડૂતો માટે ઈતિહાસના સૌથી મોટા સહાય પેકેજની કરી જાહેરાત
નવરાત્રિનાં ચોથા દિવસે કરવામાં બ્રહ્માંડની જનનીમાં કુષ્માંડાની આરાધના, જાણો પૂજા-અર્ચના વિધિ
અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં, કહ્યું- કોઈ જગ્યાએ હિંસા થાય તે સારી વાત નથી
મદદ માટે લાંચ? મેહુલ ચોકસીની મદદ માટે તેના ભાઈએ ડોમિનિકાના વિપક્ષ નેતાને આપ્યા આટલા લાખ ડોલર
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ
Share This Article
Facebook Email Print
Previous Article કાશ્મીર સરહદે અફઘાનિસ્તાન-પાક.ના 150થી વધુ આતંકી ઘુસવાની ફિરાકમાં
Next Article હિજાબ વિરૂદ્ધ પોસ્ટ લખનારા બજરંગ દળના કાર્યકરની શિવમોગા ખાતે હત્યા, કલમ 144 લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up