પહેલી જાન્યુઆરી 2020થી અનેક નિયમોમાં પરિવર્તન આવશે,જેની સીધી અસર સામાન્ય માણસ ઉપર પડશે.ચેક પેમેન્ટથી લઈને ફાસ્ટેગ,યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અને જીએસટી રિટર્નનાં નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે.આ માટે પહેલી તારીખથી થતા નિયમો વિશે માહીતી મેળવી લેવી જરૂરી છે.
ચેક પેમેન્ટ સિસ્ટમ
પહેલી જાન્યુઆરી 2021થી ચેક પેમેન્ટ સાથે જોડાયેલ નિયમો બદલાઈ જશે.પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકનાં માધ્યમથી રૂ.50,000 અથવા તેનાથી વધુ પેમેન્ટ ઉપર કેટલીક જરૂરી માહિતી વધુ એક વખત ક્ધફોર્મ કરવાની રહેશે.જોકે એ ખાતાધારક ઉપર નિર્ભર કરશે એ તે નવી સુવિધા લેવા ઈચ્છે છે કે નહી. ચેક આપ્નાર વ્યક્તિએ આ માહિતી એસએમએસ,મોબાઈલ એપ,ઈન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમ જેવા માધ્યમથી આપી શકાય છે.ભારતીય રીઝર્વ બેન્કે કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની લિમિટ્સ રૂ.2000થી વધીને રૂ.5000 કરવામાં આવી છે.આ પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. ડેબિટ અને ક્રેડિટકાર્ડથી રૂ.5000 સુધીની પેમેન્ટ માટે પીન નાખવાની જરૂર નહી રહે.
કાર મોંઘી થશે
ઓટોમોબાઈલ કંપ્નીઓ જાન્યુઆરી 2021થી પોતાની અનેક કારનાં ભાવમાં વધારો કરવામાં આવશે.જેથી કાર ખરીદનારને પહેલાની સરખામણીએ એ કારની વધું કિંમત ચૂકવવી પડશે.હાલ સુધીમાં મારુતી,મહિન્દ્રા,રેના અને એમજી મોટર દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે.
ફાસ્ટેગ લગાવવું થશે અનિવાર્ય
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 1 જાન્યુઆરી 2021થી તમામ ફોર વ્હીલ્સ વાહનો ઉપર ફાસ્ટેગ લગાવવાનું ફરજીયાત કર્યું છે.કોઈ પણ વાહન નેશનલ હાઈવે પર ફાસ્ટેગ વગર ટોલ પાસ કરશે તો તેને બમણું ચાર્જ ચુકવવું પડશે.ફાસ્ટેગ બેન્કમાંથી મળશે અને તેના માટે ટોલ ચુકવવામાં પડતી મુશ્કેલીથી બચી શકાશે.હાલમાં તમામ ટોલપ્લાઝા ઉપર 80 ટકા લાઈનને ફાસ્ટેગ અને 20 ટકા લાઈનોને કેશમાં ઉપયોગ કરાય છે.
લેન્ડ લાઈન
લેન્ડલાઇનમાંથી મોબાઈલમાં ફોન કરવા માટે 0 ડાયલ કરવાનો રહેશે : પહેલી જાન્યુઆરીથી વધું એક નિયમ આવી રહ્યો છે તેના અનુસાર લેન્ડલાઈનમાંથી મોબાઈલ નંબર પર ફોન લગાવવા માટે પહેલા 0 ડાયલ કરવાનો રહેશે. 0 ડાયલ કયર્િ વગર ફોન કરી શકાશે નહી.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે બદલાશે નિયમો
સેબીએ મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ માટે એસેટ અલોકેશનનાં નિયમોમાં બદલાવ કર્યો છે.નવા નિયમો અનુસાર હવે ફંડનું 75 ટકા ઇક્વિટીમાં રોકાણ કરવું જરૂરી છે. હાલમાં 65 ટકા છે.સેબીનાં નવા નિયમ અનુસાર મલ્ટીકેપ ફંડ્સનાં સ્ટ્રકચરમાં ફેરફાર કરશે.ફંડને મિડકેપ અને સ્મોલકેપમાં 25 25 ટકા રોકાણ કરવું જરૂરી હશે. જ્યારે 25 ટકા લાર્જકેપમાં લગાવવું પડશે.
યુપીઆઈ પેમેન્ટમાં થશે ફેરફાર : પહેલી જાન્યુઆરીથી યુપીઆઈનાં માધ્યમથી પેમેન્ટ કરવું મોંઘુ પડશે.થર્ડપાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલી એપ ઉપર એક્સ્ટ્રા ચાર્જ વસુલવાની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જીએસટી રિટર્નનાં નિયમોમાં પરિવર્તન
દેશના નાના વેપારીઓને સરળ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ જીએસટી રિટર્ન ફાઈલ કરવાની સુવિધા મળશે.નવા નિયમ હેઠળ જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ.5 કરોડથી ઓછું તેમને દર મહિને રિટર્ન ફાઈલ કરવાની જરૂર નહી રહે.ટેક્સપેયરને માત્ર 8 રિટર્ન ભરવાનું રહેશે.
સરળ જીવન વીમા પોલીસી લોન્ચ થશે
પહેલી જાન્યુઆરી બાદ ઓછા પ્રીમિયમથી વીમો ખરીદી શકાશે.આઈઆરડીએઆઈએ તમામ કંપ્નીઓને કહયું છે એ સરળ વિમા પોલિસી લોન્ચ કરાવવા અયુ છે. આરોગ્ય સંજીવની નામની સ્ટાન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન રજૂ કરવા બાદ સ્ટાન્ડર્ડ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા છે.
કેટલાક ફોનમાં વોટ્સએપ સપોર્ટ કરવાનું બંધ થઈ શકે છે.
એટલાંક એન્ડ્રોઇડ અને આઈઓએસ ફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી શકે છે. કંપ્નીએ કહયું છે કે જે સોફ્ટવેર જુના થઈ ચુક્યા છે તેના ફોનમાં વોટ્સએપ સપોર્ટ કરવાનું બંધ થશે.

