ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ પ્રમુખપદ સંભાળ્યા બાદ જે રીતે સૌરાષ્ટ્રથી લઈને સુરત સુધીના રોડ શો સહિતના પ્રવાસો કર્યા અને તે સમયે તેમાં સામેલ ભાજપના અનેક નેતાઓ કોરોના સંક્રમીત થયા હતા તેની ચિંતા ન થઈ અને બાદમાં ચૂંટણી સમયે માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સની ચિંતા વગર પ્રચાર થયો તથા પાલીકા-પંચાયતમાં વિજય બાદ જે રીતે અમદાવાદથી સુરતના ટ્રેન પ્રવાસમાં પણ જબરો શો કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હજું પણ વધુ એક જબરા શોની તૈયારીમાં હતા.તેઓએ પંચાયત પાલીકામાં જ વિજય મળ્યો તેની ઉજવણી કરવા માટે ગાંધીનગરમાં કમલમ નજીક 1 લાખ કાર્યકર્તાઓને એકત્ર કરીને ‘અભિવાદન’ (કોનુ?) કરવાનું આયોજન કર્યુ હતું અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રીત કરવાની તૈયારી હતી પણ ગુજરાતમાં જે રીતે કોરોના સતત વધી રહ્યા છે તે જોતા વડાપ્રધાન કાર્યાલયે જ હમણા આવા આયોજન નહી કરવા માટે સૂચના આપી દેતા પાટીલનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે.રાજયમાં કોરોના વચ્ચે પણ ચૂંટણીમાં કઈ રીતે ખુલ્લેઆમ પ્રોટોકોલનો ભંગ થયો તે પીએમઓ જાણતું હતુ તેથી વધુ જોખમ ન લેવાયું.