– નહેરની સફાઇ-પ્લાસ્ટિક કચરાનો નિકાલ માટે SIAની રજૂઆત
ઉમરગામના સરીગામથી પુનાટ તરફ જતી કેનાલમાં પ્લાસ્ટિક અને ડોમેસ્ટિક કચરો પધરાવતા ગંદકી ઉભી થઈ છે.કેનાલમાં કચરાથી પાણી,જમીન અને પર્યાવરણમાં પ્રદુષણ ઉભું થયું છે.મધુબન ડેમથી ઉમરગામ તાલુકાના પુનાટ કલગામ તરફ જતી દમણગંગા સિંચાઈ વિભાગની કેનાલમાં પાણી સાથે પ્લાસ્ટિકનો કચરો સતત વહેતો રહે છે.
જે કેનાલ સરીગામ નોટિફાઇડમાંથી પસાર થતાં કેમિકલ ઝોન વિસ્તારના પુલ પરથી ત્રાહિમ ઈસમો દ્વારા પ્લાસ્ટિક અને ડોમેસ્ટિક કચરો ફેંકતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે.વળી કેનાલમાં ઘાસચારોની ગંદકીથી પાણી,જમીન અને પર્યાવરણ પ્રદુષિત થઈ રહી છે.
પાણી બંધ થતાં કેનાલની આજુબાજુ આવેલા રહેણાક વિસ્તારના રહીશો કચરો પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં ફેંકી રહ્યા છે.શાકભાજી,લારીગલ્લાવાળા દ્વારા પણ કચરાનો નિકાલ કેનાલમાં થઇ રહ્યો છે.પૂજાપાઠ બાદ પણ સામગ્રી કેનાલમાં ફેંકવામાં આવી રહી છે. જે કચરો પાણીના વહેણ સાથે તણાઈને સરીગામ નોટિફાઇડની કેનાલમાં ભેગો થાય છે.ગંદકી અંગે સ્થાનિકો,ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા એસઆઈને રાવ કરી હતી.
જંગલી કાંટાળી વનસ્પિત કાઢવા મશીન મંગાવી
કેનાલની બે વર્ષે સફાઈ કરવામાં આવે છે.ચાલુ વર્ષે જંગલી કાંટાડી કાઢવા મશીનરી મંગાવેલ છે.નરેગા યોજનામાંથી સફાઈ કામગીરી કરાઇ છે. – એન.યુ.દાભળિયા, અધિકારી, દમણગંગા સિંચાઈ વિભાગ