By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 21 દિવસના Lockdownમાં દેશની ઈકોનોમીને થઈ શકે છે 120 અરબ ડૉલરનું નુકસાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > 21 દિવસના Lockdownમાં દેશની ઈકોનોમીને થઈ શકે છે 120 અરબ ડૉલરનું નુકસાન
BusinessGeneralNational

21 દિવસના Lockdownમાં દેશની ઈકોનોમીને થઈ શકે છે 120 અરબ ડૉલરનું નુકસાન

HM News
Last updated: 25/03/2020 10:23 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસની ગંભીર અસર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. અર્થવ્યવસ્થાના જાણકારો અનુસાર 21 દિવસના લોકડાઉનમાં દેશની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શકે છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેની મોટી અસર દેશની અર્થવ્યવસ્થા પડશે. હવે આર્થિક બાબતોના જાણકારોએ પણ અનુમાન લગાવ્યું છે કે, આ 21 દિવસમાં દેશની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન ભોગવવું પડી શકે છે.

ઈકોનોમીના જાણકારો અનુસાર 21 દિવસના લોકડાઉનમાં દેશની અર્થવ્યવસ્થાને 120 અરબ ડૉલર એટલે કે 9.12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. દેશની એક જાણીતી બિઝનેસ ચેનલ પર આર્થિક બાબતોના જાણકારોએ આ વાતની સંભાવના વ્યક્ત કરી છે.

જીડીપીના આધારે જોવામાં આવે તો માની શકાય કે, આ આટલા નુકસાન બાદ કુલ જીડીપીના 4 ટકા સુધી તેની અસર જોવા મળી શકે છે. લોકડાઉનના કારણે દેશમાં ઔઘોગિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. પરિવહન સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. સરકારના રેવન્યૂનના તમામ મોર્ચ એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ છે. જેના કારણે એ સ્પષ્ટ છે કે દેશની આર્થિક વૃદ્ધિની રફ્તાર ખૂબજ ધીમી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન પહેલા જ અનેક ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતની જીડીપી દરનું અનુમાન ઘટાડી દીધું છે અને હવે તો આઈએમએફ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે અને આ 2009ના ગ્લોબલ આર્થિક સંકટ કરતા પણ વધારે હશે.

આર્થિક જાણકારો અનુસાર, સરકાર નાણાકીય નુકસાન નક્કી કરેલા લક્ષ્યને પાર કરી શકે છે. સરકારે 2021 માટે નાણકીય ઘાટો 3.5 ટકા પર રહેવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ બ્રિટિશ બ્રોકરેજ હાઉસ બાર્કલેજે અનુમાન આપ્યું છે કે, આ 5 ટકા પર આવી શકે છે.

ગુજરાત કેબિનેટમાંથી નેતાઓની બાદબાકી થતા કોળી-આહીર-ઠાકોર સમાજ મેદાને : અખિલ ભારતીય કોળી સમાજે PM મોદીને પત્ર લખ્યો
સુરતમાં કોંગ્રેસ તૂટી, આ નેતાઓ પંજો છોડી પકડશે કમળ
યુપીમાં જમાતીઓ પર કાર્યવાહી શરુ, 17ને જેલ મોકલાયા
31st ડિસેમ્બરે પીધ્ધડો સાવધાન : ગુજરાતમાં પ્રવેશતા વલસાડ પોલીસ બોલાવશે સપાટો : સુરત રેંજ IG રાજકુમાર પાંડીયન
રાજપક્ષે દેશ છોડી માલદિવ્સ ભાગ્યા શ્રીલંકામાં ઈમરજન્સીઃ કરફ્યુ લદાયો
Share This Article
Facebook Email Print
Previous Article આઠ મહિના બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી નજરકેદમાંથી મુક્ત
Next Article ડોલર સામે રૂપિયો ચાલુ વર્ષે 77 અને 2021માં 80 થશેઃ ફિચ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up