By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી
AhmedabadGeneral

21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી

HM News
Last updated: 26/05/2022 5:25 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતાની બેદરકારીના કારણે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે.અમદાવાદ શહેરમાં ગત મે 2021ની સરખામણીએ મે 2022માં પાણીજન્ય રોગચાળાના કેસ વધુ જોવા મળ્યાં છે.અમદાવાદ શહેરમાં 1થી 21 મેના સમયગાળા દરમિયાન ઝાડાઉલટીના 550,કમળાના 110,ટાઇફોઇડના 177 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.તા.1લી જાન્યુઆરીથી તા.21 મે 2022 દરમિયાન કોલેરાના કુલ 7 કેસ નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની આઉટડોર સારવાર લેનારા દર્દીઓની સંખ્યા તો પાંચગણી હોવાનું સૂત્રો કહે છે,જોકે,આ આંકડા તંત્ર દ્વારા નોંધવામાં આવતા નથી.અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ઊંચકાઇ રહ્યો છે.ગરમીના કારણે પાણીનો વપરાશ વધી રહ્યો છે સાથે જે વિસ્તારોમાં ગેરકાયદે પીવાના પાણીના જોડાણો હોય ત્યાં પીવાની પાણીની લાઇનો લીકેજ થવાના કારણે પ્રદૂષણ ભળવાની સંભાવના વધે છે જેના કારણે પાણીજન્ય રોગચાળો વધે છે.શહેરના પૂર્વ વિસ્તારમાં ગત માર્ચ મહિનામાં કોલેરાના બે કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાને પગલે બહેરામપુરા અને વટવા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.ગત એપ્રિલ મહિનામાં બહેરામપુરાના સીમા રોહાઉસમાં એક કોલેરાના કેસ નોંધાયો હતો.આરોગ્ય વિભાગ દ્વારા ગત 1 જાન્યુઆરીથી 21 મે 2022ના દરમિયાનમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ પૈસી 133 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા હતા જ્યારે મે મહિનામાં 24 પાણીનાં સેમ્પલ ફેલ થયા હતા.છેલ્લા સાડા ચાર મહિનામાં 32,651 ક્લોરીન ટેસ્ટ કરાયા છે જે પૈકી 567 ક્લોરીન નીલ રિપોર્ટ આવ્યા હતા.બેકટિરિયોલોજી તપાસ માટે 4899 સેમ્પલ લઈ તપાસ કરાઈ હતી.

અમદાવાદ શહેરમાં મે મહિનાના 21 દિવસમાં સાદા મેલેરિયાના 59 કેસ,ઝેરી મેલેરિયાના 4 કેસ,ડેન્ગ્યુના 14 કેસ અને ચિકનગુનિયાના 11 કેસ હોસ્પિટલમાં દાખલ થયા હતા.આ મે મહિનામાં 28,281 લોહીના નમુના લઈ તપાસ કર્યા હતા.આ તમામ નમૂના વાઇરલ ફિવરના હતા.741 સીરમ સેમ્પલ લીધા હતા.ઉલ્લેખનીય છે કે,તા.1લી જાન્યુઆરીથી તા.21 મે 2022 સુધીમાં ઝાડાઉલટીના 2112 કેસ,કમળાના 596 કેસ,ટાઇફોઇડના 614 અને કમળાના 7 કેસ નોંધાયા છે.આ સમયગાળામાં મેલેરિયાના 142,ઝેરી મેલેરિયાના 9,ડેન્ગ્યુના 54 અને ચિકનગુનિયાના 116 કેસ નોંધાયા છે.

શિવસેનાને બોલિવૂડ કલાકારો સાથે હંમેશા રહ્યો છે 36નો આંકડો
દિલ્હીમાં 60 વાંદરાઓને કરાયા ક્વોરૅન્ટીન, એન્ટિજેન ટેસ્ટ પણ કરાયો
અમે પોલીસકર્મી દરેક પડકારને પહોંચી વળવા સક્ષમ છીએ : P.I એચ.એમ ગઢવી
સુરતમાં પડેલા સતત વરસાદની કારણે નીચાણ વાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
ભાજપ સમર્થિત પેનલનો સફાયો : સુરત પીપલ્સ બેન્કની ચૂંટણીમાં શહેર ભાજપના મહામંત્રી, બે કોર્પોરેટર અને ખજાનચી હાર્યા
Share This Article
Facebook Email Print
Previous Article માતા સંતાનો વચ્ચે ભેદભાવ રાખતી હોવાથી દીકરી આપઘાત કરવા પહોંચી
Next Article કોંગ્રેસને મોટો ફટકો, કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, સપાના સમર્થનથી જશે રાજ્યસભા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up