– ગુજરાતની 18 જિલ્લાની 42 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં 25 માર્ચે જાહેર રજા હોવા છતાં કામ ચાલુ
– દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.25 માર્ચ-2023ને શનિવારે જાહેર રજાના દિવસે રાજ્યના 18 જિલ્લાની 42 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી,ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.આ દિવસે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-1(સીટી), અમદાવાદ-3(મેમનગર), અમદાવાદ-૫(નારોલ), અમદાવાદ-7(ઓઢવ), અમદાવાદ-10(વેજલપુર), વિરમગામ અને બાવળા, સુરત જિલ્લાની સુરત-8(રાંદેર) અને બારડોલી, વડોદરા જિલ્લાની વડોદરા-1, દંતેશ્વર, વડોદરા-7 (છાણી) અને વાઘોડીયા, ભાવનગર જિલ્લાની ભાવનગર-2 (ચિત્રા), ભાવનગર-3 (રૂવા) અને મહુવા, બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને વડગામ, મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર, દાહોદ જિલ્લાની દાહોદ, રાજકોટ જિલ્લાની રાજકોટ-1, રાજકોટ-6(મવડી), રાજકોટ-7(કોઠારીયા), રાજકોટ-8(રૂરલ), જસદણ અને જેતપુર, ગાંધીનગર જિલ્લાની માણસા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, કચ્છ જિલ્લાની ગાંધીધામ અને મુન્દ્રા, જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, જુનાગઢ સીટી-તાલુકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, સાબરકાંઠા જિલ્લાની હિમંતનગર અને વડાલી, બોટાદ જિલ્લાની ગઢડા, જામનગર જિલ્લાની જામનગર-3(પૂર્વ) તથા જામજોધપુર, પંચમહાલ જિલ્લાની હાલોલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર અને વઢવાણ એમ મળી કુલ 42 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. 25 માર્ચ-2023 ને શનિવારના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.