By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 40 માથાળા રાવણે રામનાં ધનુષ બાણ સ્થગિત કરાવ્યાં : ઉધ્ધવ ઠાકરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 40 માથાળા રાવણે રામનાં ધનુષ બાણ સ્થગિત કરાવ્યાં : ઉધ્ધવ ઠાકરે
GeneralMumbai

40 માથાળા રાવણે રામનાં ધનુષ બાણ સ્થગિત કરાવ્યાં : ઉધ્ધવ ઠાકરે

HM News
Last updated: 10/10/2022 7:07 AM
HM News
3 years ago
Share
SHARE

– પ્રતીક ગુમાવ્યા બાદ ઉધ્ધવનું ફેસબુક લાઈવ
– મુખ્યપ્રધાન પદ છીનવી લીધું પણ તેથી શિવસેના પ્રમુખ આપોઆપ ન બની જવાય

મુંબઈ : ચૂંટણી પંચે ‘ધનુષ અને તીર’ને સ્થગિત કર્યા બાદ શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ રવિવારે ફેસબૂક લાઈવ પર સંબોધન કરતાં કહ્યું હતું કે ે ૪૦ માથાવાળા રાવણે ભગવાન રામચંદ્રના ધનુષ અને તીરને સ્થગિત કરાવી દીધાં છે.ઉદ્ધવે શિંદે ગૂ્રપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે તમે મરાઠી ઓળખ સાચવનાર શિવસેનાને ખતમ કરવા નીકળ્યા છો.શિવસેનાનું નામ મારા દાદાએ આપ્યું હતું.મારા પિતાએ તેનું સંવર્ધન કર્યું.હવે આ નામ સાથે શિંદેનું શું જોડાણ છે? તમે માત્ર નામ જ નહીં પણ શિવસેનાને ખતમ કરવા બેઠા છો.ઈન્દિરા ગાંધી સરકારે પણ શિવસેના પર પ્રતિબંધ મુકવાનું ટાળ્યું હતું પરંતુ તમે હવે શિવસેનાનાં પ્રતીકને સ્થગિત કરાવ્યું છે.અમારા પ્રતિકને થોડા સમય માટે સ્થિર કરવું એ અમારી સાથે અન્યાય છે.જ્યાં સુધી સોળ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી ચૂંટણી પંચે નિર્ણય ન લેવાય.પરંતુ આ મૂંઝવણ કેવી રીતે ઉકેલવી તે કાયદાનો વિષય છે.હું ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખું છું.અમને ચોક્કસ ન્યાય મળશે, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.

– ત્રિશૂળ,મશાલ અથવા ઉગતા સૂરજના પ્રતીક ફાળવવા ઉદ્ધવ જૂથની માગણી – ચૂંટણી પંચને આ ત્રણમાંથી કોઈ એક પ્રતીક ફાળવવા જણાવ્યું
– શિવસેના બાળાસાહેબ ઠાકરે,શિવસેના બાળાસાહેબ પ્રબોધનકાર ઠાકરે અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે આ ૩ નામના વિકલ્પ પણ રજૂ

ચૂંટણી પંચે શિવસેના નામ તથા તેના તીર-કામઠાંના પ્રતીકને સ્થગિત કરી દીધા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ તથા એકનાથ શિંદે જૂથ બંનેને નવાં પ્રતીક તથા નામ માટે ત્રણ વિકલ્પ સૂચવવા જણાવ્યું હતું.ઉદ્ધવ જૂથે રવિવારે ચૂંટણી પંચને એક પત્ર પાઠવી પોતાને ત્રિશૂળ,મશાલ અથવા ઉગતા સૂરજમાંથી કોઈ એક પ્રતીક ફાળવવા વિનંતી કરી છે.આ ઉપરાંત ઉદ્ધવ જૂથે પક્ષનાં નવાં નામ માટે શિવસેના બાળાસાહેબ ઠાકરે,શિવસેના બાળાસાહેબ પ્રબોધનકાર ઠાકરે અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે એમ ત્રણ નામ પણ સૂચવ્યાં છે.

ચૂંટણી પંચે સોમવાર બપોરે બે વાગ્યા સુધી ઉધ્ધવ ઠાકરે ગુ્રપ અને એકનાથ શિંદે ગુ્રપ એમ બન્ને ગુ્રપને નામ અને ચિન્હો વિશે માહિતી આપવા માટે સમય મર્યાદા આપી છે.ઠાકરે ગુ્રપે ચૂંટણી પંચ સમક્ષ પક્ષ માટે સૂચવેલા નામમાં ઠાકરે પરિવારના ત્રણ પેઢીની ઝાંખી દેખાય છે.એકનાથ શિંદે વારંવાર અસલી શિવસેના પોતાની છે અને ઉદ્ધવે બાળા સાહેબના સિદ્ધાંતોને છેહ આપ્યો છે અને પોતે જ બાળા સાહેબના વૈચારિક વારસદાર છે તેવો દાવો વારંવાર કરી રહ્યા છે.તે સંદર્ભમાં ઉદ્ધવ જૂથ તરફથી નામના ત્રણેય વિકલ્પમાં બાળા સાહેબનું નામ જોડી પોતે જ બાળા સાહેબના રાજકીય વારસદાર હોવાનું પ્રસ્થાપિત કરવા પ્રયાસ કર્યો છે.શિવસેના ઠાકરે ગુ્રપ દ્વારા ચૂંટણી ચિન્હ માટે ત્રણ વિકલ્પ તૈયાર કર્યા છે.એમાં ત્રિશૂળ,ઊગતો સૂર્ય અને મશાલનો સમાવેશ થાય છે.માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવની પહેલી પસંદગી ત્રિશૂળની છે.તે પ્રતીક દ્વારા શિવસેના હિંદુત્વની વિચારધારા સાથે પોતાનું જોડાણ યથાવત હોવાનો સંદેશો પણ મતદારોને આપી શકે છે.આગામી તા. ત્રીજી નવેમ્બરે યોજાનારી અંધેરી ઈસ્ટની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉદ્ધવ જૂથે પોતાના ઉમેદવાર પણ નક્કી કરી લીધા છે.આથી તેે નવાં નામ અને પ્રતીક મેળવવાની ઉતાવળ છે. જ્યારે શિંદે જૂથ આ ચૂંટણીમાં લડવાનું નથી.તેને બદલે તે ભાજપને ટેકો આપશે.ચૂંટણી પંચે શનિવારે શિવસેનાનું ચૂંટણી ચિહન ધનુષ-બાણને સ્થગિત કર્યા બાદ આજે માતોશ્રી પર શિવસેનાના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી.તેમાં આ નામ તથા પ્રતીકના વિકલ્પો નક્કી કરાયાં હતાં.

– કપરકાબી અને નાળિયેરી પણ અજમાવ્યાં હતાં
– શરુઆતમાં શિવસેના ઢાલ-તલવાર અને એન્જિનનાં પ્રતીક પર ચૂંટણી લડી હતી
– હાલનું ધનુષ્યબાણનું પ્રતીક ૧૯૮૯માં ઓક્ટોબર માસમાં જ ફાળવાયું હતું

શિવસેનાની સ્થાપના થયા પછી શરૂઆતના વર્ષોમાં ઢાલ-તલવાર અને એન્જિનના ચિન્હ પર ચૂંટણીઓ લડવામાં આવી હતી.ત્યાર પછી ધનુષ્યબાણ ચિન્હ ખરા અર્થમાં પ્રસ્થાપિત થયું હતું.આમ શિવસેનાએ છેલ્લા સાડાત્રણ દાયકા સુધી ધનુષ્યબાણ ચિન્હ સ્થગિત કર્યું છ.ે

બાબાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કર્યા પછી શરૂઆતના બે દાયકા સુધી શિવસેનાના ઉમેદવારો મોટે ભાગે અપક્ષ તરીકે તો અમુક વખતે ઢાલ-તલવાર અને એન્જિનના ચિન્હ પર ચૂંટણી લડયા હતા. શિવસેનાને કોઈ એક નિશ્ચિત પ્રતીક ન હતું મળ્યું ત્યારે તેના ઉમેદવારોએ કપ રકાબી અને નાળિયેરીનાં વૃક્ષ જેવાં ચૂંટણી પ્રતીકોનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે.

૧૯૬૮માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે શિવસેનાએ એક રેલી કાઢી હતી.જેમાં એક વિસૈનિક રામ અન ેબીજા લક્ષ્મણ બન્યા હતા.તેમણે હાથમાં ધનુષ્યબાણ ધારમ કર્યા હતા.શિવસેના ભવિષ્યમાં ધનુષ્ય બાણ સિમ્બોલ અપનાવશે તેનો આના પરથી સંકેત મળી ગયો હતો.આ ચિન્હ અપનાવ્યા પછી ધનુષ્યબાણનું નિશાન જાણે શિવસેનાની ઓળખરૂપ બની ગયું હતું.છેક, ૧૯૮૯ની પહેલી ઓક્ટોબરે શિવસેના માટે ધનુષ બાણનું પ્રતીક માન્ય કરી દેવાયું હતું.તે પછી તમામ ચૂંટણીઓ શિવસેના આ પ્રતીક પરથી લડી છે.યોગાનુયોગે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ શિવસેના પાસેથી આ પ્રતીક છીનવાઈ ગયું છે.રસપ્રદ રીતે શિવસેના એક જમાનામાં એન્જિનનું પ્રતીક અપનાવી ચુકી છે.રાજ ઠાકરે જ્યારે શિવસેનામાંથી છૂટા પડયા અને પોતાની અલગ મનસે પાર્ટીની સ્થાપના કરી ત્યારે તેમણે પ્રતીક તરીકે એન્જિનની જ પસંદગી કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજે ચંદની પડવો : સુરતવાસીઓ અંદાજે ૨૦૦ ટન ઘારી આરોગશે
Next Article મુંબઈ DRIને નહાવાશેવા બંદરે ફળો લઈ જતા કન્ટેનરમાંથી રૂ. 502 કરોડનું કોકેન મળ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up