By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 50 લાખ સુધીની ટેકસ ચોરીના કેસો ધડાધડ ખુલવા લાગ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 50 લાખ સુધીની ટેકસ ચોરીના કેસો ધડાધડ ખુલવા લાગ્યા
GeneralNational

50 લાખ સુધીની ટેકસ ચોરીના કેસો ધડાધડ ખુલવા લાગ્યા

HM News
Last updated: 16/02/2021 7:22 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.16 : કોરોનાકાળમાં ટેકસ વસુલાતમાં મોટો ઘટાડો છે તેવા સમયે પ્રમાણમાં નાની રકમની ટેકસ ચોરીના કેસો ખોલવાનું શરૂ કરાયું છે.આવકવેરા વિભાગ 50 લાખ સુધીની ટેકસ ચોરીના કેસો ધડાધડ ખોલવા લાગ્યુ છે.સંબંધીત કરદાતાને સાણસામાં લેવા તથ સર્ચ-સર્વે માટે ઈન્વેસ્ટીગેશન વિંગને મેદાનમાં ઉતારવામાં આવી રહી છે. 2015-16, 2016-17 અને 2017-18 ના આકારણી વર્ષના કેસો ખોલવામાં આવી રહ્યા છે.કારણ કે 31 મી માર્ચ પછી આ આકારણી વર્ષોનાં કેસો ખુલી નહીં શકે.

કેન્દ્ર સરકારનાં બજેટમાં આવકવેરા કેસો ખોલવાની સમય મર્યાદા વર્તમાન 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દેવામાં આવી છે. 50 લાખ કે તેથી વધુ રકમની ટેકસ ચોરીનાં સંજોગોમાં 100 વર્ષના હિસાબો-રીટર્ન પણ ખોલી શકવાની ખાસ જોગવાઈ રાખવામાં આવી છે.આ બજેટ દરખાસ્તો હજુ નોટીફાઈડ થઈ નથી એટલે આવકવેરા વિભાગે 50 લાખથી ઓછી ટેકસચોરી ધરાવતા કેસો રીઓપન કરવામાં ઝડપ વધારી દીધી છે.
કેન્દ્ર સરકાર તરફથી દેશભરની આવકવેરા કચેરીઓને એવી સુચના આપવામાં આવી છે કે 31 માર્ચે પુર્વે 50 લાખથી ઓછી રકમની ટેકસ ચોરીનાં કેસો ફટાફટ રીઓપન કરવામાં આવે કારણ કે પછી તે શકય નહી બને.સરકારની આ સુચના સામે ટેકસ અધિકારીઓએ એવો ગણગણાટ શરૂ થયો છે કે તેના ટેકસચોરોને પકડવા પર લાભ આપવાનાં સંજોગોમાં મોટા કેસો પર ધ્યાન નહિં આપી શકાય.
1લી એપ્રિલનાં નવા નાણાકીય વર્ષથી આવકવેરા અધિકારીએ માત્ર 2018-19 કે તે પછીના આકારણી વર્ષનાં કેસો જે રીઓપન કરી શકશે.50 લાખથી ઓછીની ટેકસ ચોરીમાં કેન્દ્ર સરકારે એક રીતે રાહત જ આપી છે. સર્ચ-સર્વે ઓછા થવા લાગશે અને સરકારને નોંધપાત્ર પ્રમાણમાં આવક ગુમાવવી પડશે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા રીઓપન કેસોનું લીસ્ટ પણ માંગ્યુ છે. બીજી માર્ચ સુધીમાં પહોંચાડવાની સુચના આપવામાં આવી છે.

ફાઈનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ દ્વારા શંકાસ્પદ વ્યવહારોના અપાયેલા રીપોર્ટનાં આધારે પણ તપાસ કરવા ઈન્વેસ્ટીગેશન વીંગને સુચના આપવામાં આવી છે.પનામા તથા પેરેડાઈઝ સરકના કેસોમાં પણ તપાસ ઝડપી કરવા કહેવાયું છે.સ્વીઝ ખાતેદાર ભારતીયોનાં એસએસબીસી વીસ્ટની તપાસ જારી રાખવાની પણ સુચના આપવામાં આવી છે.કેન્દ્રીય બજેટમાં ટેકસ ચોરીનાં કેસો રીઓપન કરવાની એક હથ્થુ સતા પર સંપૂર્ણ લગામ મુકવામાં આવી છે.હવે હિસાબી આંકડાઓમાં ગરબડ કે વિસંગતતા સિસ્ટમમાં પકડાય કે કેગ દ્વારા રીપોર્ટ થાય અથવા સર્ચ-સર્વેમાં ટેકસ ચોરી ખૂલે તો જ જુના આકારણી વર્ષોનાં કેસ રીઓપન થઈ શકશે.

માંગરોળના વાંકલ ગામે વરલી મટકાના અંકો ઉપર જુગાર રમાડતા એકને ઓપરેશન ગ્રુપે ઝડપ્યો
પલસાણા પોલીસ સ્ટેશનના PSI સી.એમ.ગઢવીની જિલ્લા પોલીસ વડાએ અંતે બદલી કરી
કોરોના વાયરસ અશ્લીલતા અને નગ્નતા માટે અલ્લાહના ગુસ્સાનું પરિણામ કહી પાક. મૌલાના રડી પડ્યો
દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી ટોપ ઉપર : જાણો વિગતવાર
#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ
Share This Article
Facebook Email Print
Previous Article કેન્દ્ર સરકાર અને વેપારીઓની બેઠક નિષ્ફળ : GSTના વિરોધમાં 26મીએ ભારત બંધ
Next Article કચ્છમાં યુવકને બે પુત્રીની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ યુવક કપડાં પર લોહીના ડાઘ સાથે આવ્યો પાછો ને પુત્રીએ ……….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up