અમૃતસર : શિખ ધર્મના ૯મા ગુરૂ ગુરૂ તેગ બહાદૂરના પ્રકાશ-પર્વ (જન્મદિન) નિમિત્તે નગર-કીર્તન યોજવામાં આવ્યું હતું.જેમાં અકાલ-તખ્તથી નીકળી ગુરૂદ્વારા ગુરૂ-કે-મહાલ (ગુરૂજીના જન્મ સ્થળ) સુધીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યુંહતું.આ ભજન અને કીર્તન ઉપરાંત આ પવિત્ર દિવસે તલવાર બાજી પણ યોજવામાં આવી હતી.આ ઉત્સવમાં સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથી જ્ઞાાની જગતારસિંહ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ એડવોકેટ હરજિંદર સિંઘ તથા અગ્રગણ્ય મહાનુભાવો શિરોમાન ગુરૂદ્વારા પ્રબંધક સમિતી (SGPC) ના સભ્યો અધિકારીઓ સિંઘ-સભા સોસાયટીઝના પ્રતિનિધિઓ અને સંગતના અનેક સભ્યોએ નગરકીર્તનમાં ભાગ લઇ શિખ ધર્મ તથા તેના ગુરૂઓ પ્રત્યે પોતાની ભાવનાઓ અને ભક્તિ પ્રદર્શિત કર્યા હતાં.આ પ્રસંગે નિહંગોએ ગટક-પ્રદર્શન (તલવારબાજી)નું પ્રદર્શન કર્યું હતું.આ પછી આજે (ગુરૂવારે) ગુરૂમટ સંગમ યોજવામાં આવ્યો હતો.ગુરૂવારે સવારે ગુરૂદ્વારા શ્રીમનજી સાહિબ દીવાન હોલ ખાતે તેનું આયોજન કરાયું હતું.જેમાં ગ્રંથી સિંઘો સંતો તથા નિહંગ સિંઘ જાથેબંધીના પ્રતિનિધિઓ સભા સોસાયટીઝના પ્રતિનિધીઓ અને અગ્રગણ્ય નાગરિકોએ ભાગ લીધો હતો.