By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: LICએ એજન્ટોને વગર વ્યાજે રૂ. પ૦,૦૦૦ આપ્યાઃ ર વર્ષમાં હપ્તા ભરવાના રહેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > LICએ એજન્ટોને વગર વ્યાજે રૂ. પ૦,૦૦૦ આપ્યાઃ ર વર્ષમાં હપ્તા ભરવાના રહેશે
AhmedabadGeneral

LICએ એજન્ટોને વગર વ્યાજે રૂ. પ૦,૦૦૦ આપ્યાઃ ર વર્ષમાં હપ્તા ભરવાના રહેશે

HM News
Last updated: 04/05/2020 7:19 AM
HM News
5 years ago
Share
SHARE

– અમદાવાદના ૧૪૦૦૦ એજન્ટોને રૂ. ૩ર.પ૦ કરોડ ચૂકવ્યા

અમદાવાદ તા. ૪ : ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) એ કોરોનાની મહામારી વચ્ચે પોતાના એજન્ટને કોઇની પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે તમામ એજન્ટને વગર વ્યાજે રૂ.પચાસ હજાર આપવાનો નિર્ણય લીધો છે.એપ્રિલ માસમાં એજન્ટોના ખાતામાં રૂ.રપ૦૦૦ જમા થઇ ગયા છે અને બીજા રૂ.રપ૦૦૦ મે મહિનાની ૧પ મી તારીખે જમા થઇ જશે.માત્ર અમદાવાદના લગભગ ૧૪૦૦૦ એલઆઇસી એજન્ટના ખાતામાં રૂ.૩ર.પ૦ કરોડ જમા કરાવી દીધા છે.

આ રૂપિયા એજન્ટોએ છ મહિના બાદ બે વર્ષ સુધીના હપ્તામાં પરત કરવાના રહેશે.દેશભરમાં એજન્ટોને એલઆઇસીએ ર૭૦૦ કરોડ આપવનો નિર્ણય લીધો છે.એલઆઇસીના આ નિર્ણયથી એલઆઇસીના લાખો મધ્યમ વર્ગીય એજન્ટોને મોટી રાહત થઇ ગઇ છે.એજન્ટ તરીકે કામ કરતા કોઇપણ વ્યકિતને આ મહામારીમાં આર્થિક સંકડામણનો ભોગ બનવું પડે નહીં અને કોઇની આગળ હાથ લાંબો ન કરવો પડે નહીં તે માટે તમામ એજન્ટને બે હપ્તામાં પચાસ હજાર આપવાનો નિર્ણય લેવાયો છે.એલઆઇસી કલાસ ટુ ઓફિસર એસોસીએશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીપક વાઘેલાએ જણાવ્યું હતું કે,ઘણા એવા એજન્ટ છે કે જે ફુલટાઇમ એલઆઇસી નું જ કામ કરે છે.તેમને આર્થિક સંકડામણ થાય તે સ્વાભાવિક છે.એજન્ટને મુશ્કેલીમાં ન મૂકાવું પડે તે માટે એલઆઇસીએ દેશભરના લાખો એજન્ટોના ખાતામાં રૂ.ર૭૦૦ કરોડ જમા કરાવવાનો નિર્ણય લઇ અમલ પણ કરી દીધો છે.એજન્ટે આ રૂપિયા છ મહીના પછી એટલે કે આગામી ઓકટોબરથી બે વર્ષ સુધી હપ્તેથી ચૂકવવાના રહેશે.આ રકમ ઉપર કોઇપણ વ્યાજ લેવાશે નહીં.એલઆઇસી એજન્ટ નવીન પટેલે જણાવ્યું હતું કે,એલઆઇસીના આ નિર્ણયથી કોરોનાની મહામારી વચ્ચે કોઇ એજન્ટ આર્થિક સંકડામણમાં મુકાયો નથી.

લ્યો બોલો હવે ટ્રેનમાં સાંસદના પત્ની પણ નથી સુરક્ષિત, ચાલતી રાજધાનીમાંથી ભાજપના સાંસદની પત્નીના 3 લાખની માલમતા ચોરાઈ
અફઘાનિસ્તાન : મંદિર છોડવાના બદલે તાલિબાનના હાથે મરવા તૈયાર છે પુજારી રાજેશ
દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ અધધધ રૂ. 750 કરોડનું કૌભાંડ આચર્યું : જુઓ ધરપકડનો વિડિઓ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં : અ’વાદ-ગાંધીનગરમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
દારૂ પીવાની આદતથી મજબૂર થયેલા સેનાના જવાન પર સરકારે દયા દાખવવી જોઈએ : SC
Share This Article
Facebook Email Print
Previous Article ૨૧૨ બિયરની બોટલો સાથે અમદાવાદ નિકોલનો પોલીસકર્મી ઝડપાતાં ચકચાર
Next Article એકથી વધુ કાર ધરાવો છો? તો કિલોમીટર પ્રમાણે વીમા પ્રીમીયમ ચુકવવું ફાયદાકારક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up