મુંબઈ
એક વિદેશી બ્રોકરેજે મંગળવારે કહ્યું હતું કે સરકારી બેન્કોની એનપીએ 2-4 ટકા વધી જશે તેવી શક્યતા છે,જેનાથી સરકાર પર 2020-21માં 15 અબજ ડોલરના રિકેપિટલાઈઝેશનનું દબાણ ઊભું થશે. બેન્ક ઓફ અમેરિકાના એનલિસ્ટ્સના મતે કોન્સોલિડેટેડ ફિસ્કલ ડેફિસિટનો ટારગેટ 2 ટકા જેવો વધી જશે.કારણ કે સરકારે વિવિધ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા છે, ટેક્સમાં ઘટાડો કર્યો છે અને ડિસઈન્વેસ્ટમેન્ટનો ટારગેટ પણ પૂરો થયો નથી.એટલું જ નહીં,બેન્કોને રિકેપિટલાઈઝેશન માટે પણ તેણે વિવિધ સ્રોત વિચારવા પડશે.
તેણે કહ્યું કે સરકાર રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ ઈશ્યૂ કરે તેવી શક્યતા છે અથવા રિઝર્વ બેન્કના જંગી 127 અબજ ડોલરના રિઝર્વમાંથી તે નાણાં મેળવીને સરકારી બેન્કોને રિકેપિટલાઈઝ કરે તેવી શક્યતા છે મોટાભાગના એનલિસ્ટ્સ એ વાતે સંમત છે કે કોરોના વાયરસને કારણે બેન્કોની એનપીએમાં વધારો થશે.એનપીએમાં 2-4 ટકાનો વધારો થશે તો તેનાથી સરકાર પર રિકેપિટલાઈઝેશનનો 7-15 અબજ ડોલર સુધીનો બોજ વધી જશે તેવી ધારણા છે.
તેણે કહ્યું કે રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ મારફતે અગાઉ પણ ઘણી વાર ફંડ ઊભું કરાયું હતું.સરકાર તેના દ્વારા સરકારી બેન્કોને ફંડિંગ પૂરું પાડવાના મૂડમાં છે.બેન્ક ઓફ અમેરિકાએ કહ્યું કે રિકેપિટલાઈઝેશનથી બેન્કોની નબળી લબેલેન્સ શીટમાં થોડી રાહત મળશે અને સરકાર તબક્કાવાર રીતે આ રિકેપિટલાઈઝ્ડ બોન્ડ્સને નોર્મલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કન્વર્ટ કરશે અને બજારમાં તે વેચશે.
બોડ્સ પરનો વ્યાજનો ખર્ચ વધવાથી સરકારની ફિસ્કલ ડેફિસિટ પર અસર પડશે. જોકે પછી પીએસયુ બેન્કો ધીમે-ધીમે તેમનો નફો ટ્રાન્સફર કરીને તેમાં રાહત આપશે.રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ તેમની પાકતી મુદ્દતના વર્ષમાં ફિસ્કલ ડેફિસિટમાં ગણતરીમાં લેવાય છે અને તેને કારણે જ બોન્ડ્સ ભૂતકાળમાં કોઈ ચોક્કસ પાકતી મુદ્દત વગર જ બોન્ડ્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. બોન્ડ્સ ઉપરાંત આરબીઆઈનું 127 અબજ ડોલરનું રિવેલ્યૂએશન રિઝર્વ પણ કામે લગાડી શકાય તેમ છે તેવું સૂચન આ બેઠકમાં કરાયું હતું. ફિસ્કલ ડેફિસિટની દૃષ્ટિએ આ પગલું ન્યૂટ્રલ ગણાશે તેમ તેમાં કહેવાયું હતું.


