અમદાવાદ : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવી રહેલ ઉધારીને કારણે ઉચ્ચ ખાદ્ય સબસીડીના બિલમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે.સરકાર દ્વારા વિલંબિત અથવા અપૂરતા નાણાં મળવાને કારણે હાલ લિકવીડિટીની તંગી સર્જાઈ છે.FCIએ ચરણબદ્ધ રીતે ઉધાર લીધું છે જોકે તેમાં મોટા પ્રમાણમાં ઓછ ખર્ચ વાળા નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ્સ સામેલ છે છતાં FCI ની ડેબ્ટ સર્વિસ કોસ્ટમાં વધારો થયો છે.
અહીં કેન્દ્ર આ લોન માટે બાંયધરી આપનાર છે,આ એફસીઆઈ લોન પર તેની વ્યાજની કિંમત હવે એક વ્યવસ્થિત રકમ છે અને અનાજનો આર્થિક ખર્ચનો નોંધપાત્ર હિસ્સો છે.સૂત્રોના જણાવ્યાં અનુસાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) ચોખાની આર્થિક કિંમતનો 6% હિસ્સો હવે એફસીઆઈ દેવા પરના વ્યાજના કારણે છે. વધુમાં NFSA ઘઉં અને બરછટ અનાજની આર્થિક કિંમતનો સમાન હિસ્સો પણ વ્યાજના ખર્ચને કારણે છે.
ઓપન એન્ડેડ પ્રોક્યોરમેન્ટ પોલિસીને કારણે અનાજ સ્ટોક મોંઘુ થઇ ગયું હતું. FCIનું દેવું નાણાંકીય વર્ષ 21ના અંતમાં રૂ.3.33 લાખ કરોડે પહોંચ્યું છે.કેન્દ્રિય પૂલમાં ચોખા અને ઘઉંનો કુલ સ્ટોક જૂન 1 ના રોજ આશરે 97.27 મેટ્રિક ટન (એમટી) હતો,જે હવે 93 મેટ્રિક ટન હોઈ શકે છે.આર્થિક ખર્ચમાં અનાજની ન્યૂનતમ ટેકાના ભાવ (ચોખા માટે 72 ટકા ),વિવિધ પ્રકારના મંડી વેરા (9 ટકા ),સંગ્રહ અને માલ (4 ટકા)વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2013માં NFSA લોન્ચ થયા બાદ ખાદ્ય સબસીડી બિલમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો જે જીડીપીમાં પોતાનો હિસ્સેદારી વધારવા માટે પૂરતી તેજીથી નહોતો વધી રહયો. પરંતુ હજુ પણ આ એક હજી પણ મોટો અને સ્ટીકી સબસિડી ખર્ચ છે.
હકીકત તે છે કે કેન્દ્ર વધુને વધુ નાણાં માટે બજેટ ઉધારનો આશરો લઈ રહ્યું છે કે તે યોજનાની વ્યવહારીકતા અસ્થિર બને છે.વર્તમાન પરિમાણો હેઠળ આયોજનાની વ્યવહારિકતાનો પ્રશ્ન ત્યારે પણ ઉભો થયો છે જયારે લોકડાઉન સમયગાળા દરમિયાન ગરીબોની મુશ્કેલીઓ દૂર કરવામાં તેની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ છે.


