સ્વામી ચિન્મયાનંદના જામીનને પીડિતાએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યા : ૨૪મીએ સુનાવણી

HM News
1 Min Read

ન્યુ દિલ્હી,તા.૨૦
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં લૉની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના મામલે ભાજપના પૂર્વ સાંસદ અને આરોપી સ્વામી ચિન્મયાનંદને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યાં છે. ત્યારે પીડિતાએ સ્વામી ચિન્મયાનંદના જામીનને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ અરજી પર સુનાવણી કરવી કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહે વિચાર કરશે અને વધુ સુનવણી ૨૪મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
આરોપી પૂર્વ સાંસદ ચિન્મયાનંદને અલ્હાબાદ હાઈકોર્ટે ૩ ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા. હવે આ મામલે મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની ખંડપીઠ સુનાવણી કરશે. તો બીજી બાજુ ચિન્મયાનંદ પર દૂષ્કર્મનો આરોપ લગાવનારી વિદ્યાર્થિની વિરુદ્ધ અદાલતે ધરપકડનો વોરંટ બહાર પાડયો છે.
સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પાંચ કરોડ રૂપિયા માંગવાના કેસમાં એમપી-એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ પવન કુમાર રાયે આરોપી વિદ્યાર્થીનીના જામીન કરાવનારાઓને પણ નોટિસ મોકલી છે, જે અંગે સુનાવણી ૪ માર્ચે થશે. ભાજપના પૂર્વ સાંસદ ચિન્મયાનંદને ગત વર્ષે ૨૦ સપ્ટેમ્બરનાં રોજ પકડવામાં આવ્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *