By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંધીનગર : BJPના નવા પ્રદેશ સંગઠનમાં કોને સ્થાન મળશે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગાંધીનગર : BJPના નવા પ્રદેશ સંગઠનમાં કોને સ્થાન મળશે?
GeneralGujarat NowPolitics

ગાંધીનગર : BJPના નવા પ્રદેશ સંગઠનમાં કોને સ્થાન મળશે?

HM News
Last updated: 04/08/2020 10:12 AM
HM News
5 years ago
Share
SHARE

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મેરેથોન બેઠકો યોજી સંગઠન કામગીરીને વેગ આપી દીધો છે આ ગતિ જોતા કેટલાક નેતાઓએ પોતાનું સ્થાન નક્કી કરવા માટે સી આર પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે કારણ કે સી આર પાટીલે એ વાતનો સંકેત આપી દીધો છે કે,નવા સંગઠનના માળખામાં કેવા નેતાઓને સ્થાન આપવામાં આવશે.સાથે જ સંગઠનને અનુરૂપ નેતાને સ્થાન આપવામાં આવશે .સી આર પાટીલે પદભાર સંભાળ્યો ત્યાંથી જ ભાજપ સંગઠનના નેતાઓએ પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે.સી આર પાટીલે ચાર્જ સંભાળ્યો ત્યારે જ એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે જે કામ કરશે અને સંગઠનને જરૂરિયાત હશે એવા તમામને સ્થાન આપવામાં આવશે સાથે જ કેટલાકના પત્તા કપાશે આવા સમયે પોતાનું અસ્થીત્વ ટકાવવા માટે સાથે જ હોદ્દો મેળવવા માટે પાટીલ અને તેની ટીમની આસપાસ ફરવા માંડ્યા છે.સુત્રોની જો વાત માનીએ તો આગામી 10 થી 12 દિવસમાં સંગઠન માં ફેરબદલ કરી દેવામાં આવનાર છે.હાલમા સંગઠનના કેટલાક નેતાઓના પત્તા કપાવવાન છે.એવા નેતાના સ્થાન જોખમમાં છે કે જેણે અત્યાર સુધી કામ નહિ પરંતુ જી હુજુરી જ કરી છે.અત્યાર સુધી કામ કરવાની પદ્ધતિ જ અલગ હતી.સુત્રો જણાવી રહ્યા છે કે થોડા દિવસ અગાઉ પાટીલે એક બેઠક યોજી હતી જેમાં કેટલાક પદાધિકરિઓએ સૂચનો કર્યા હતા.પાટીલ સમક્ષ સૂચનો આવતા તુરંત જ જવાબદારી સોપવાની વાત કરતા એ નેતાઓ અવાક બની ગયા હતા.

જયારે અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે માત્ર સૂચનો મંગાવવામાં આવત હતા અને એ સૂચન પર કેવી રીતે કામગીરી કરવી તેને લઈને મનોમંથનમાં દિવસો નીકળી જતા હતા.ત્યારે હવે ત્વરિત કામગીરી હાથ પર લેવી પડી રહી છે.

તો પાટીલે પદાધિકારીઓને એ પણ સુચના આપી દીધી છે કે આગામી સમયમાં આવનારા કોર્પોરેશન અને 2022 ની ચુંટણી પર ફોકસ કરવામાં આવે હાલ પેટા ચુંટણી પર એટલું પણ ધ્યાનના આપવું કે અન્ય કામગીરી અટકી પડે.પાટીલ માની રહ્યા છે કે જે બેઠકો પર પેટા ચુંટણી છે તે એકપણ બેઠક ભાજપને ગુમાવવાની નથી જો જીત મળે તો એ બેઠકો ભાજપ માટે નફા સમાન હશે.

આમ ત્વરિત નિર્ણય ના કારણે કેટલાક નેતાઓને આ સ્ટાઈલ પસંદ પડતી નથી.જેથી પોતાનુ સ્થાન જોખમાય રહ્યું હોવાનું અનુમાન આવતા જ નેતાઓએ આગળ પાછળ ચક્કર લગાવવાની શરૂઆત કરી દીધી છે.કેટલાક મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો અને પ્રદેશ મંત્રી સાથે જ મોરચાના નેતાઓની ખુરસી જઈ શકે છે જેથી પોતાના સોગઠા ગોઠવવા માટે અત્યારથી જ એ નેતાઓએ કસરત શરુ કરી દીધી છે ત્યારે જોવું રહ્યું કે ટીમ પાટીલમાં કોને સ્થાન મળે છે અને કોની ખુરસી જોખમાય છે

કેરળમાં કોરોના સંક્રમિત પત્રકારે કલેકટરનો ઇન્ટરવ્યૂ લેતા કલેકટરને ક્વોરન્ટાઇન થવા આદેશ
પાવાગઢ : વાંચો મહાકાળી માતા સાથે જોડાયેલી રસપ્રદ વાતો!
કોરોનાના સંકટમાં બિહારના 9 મેડિકલ કોલેજોમાં 234 ડોક્ટરો ગાયબ
CBI કરશે બીરભૂમ હિંસાની તપાસ, 7 એપ્રિલ સુધીમાં સોંપવો પડશે રિપોર્ટઃ કોર્ટ
16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ
Share This Article
Facebook Email Print
Previous Article આવતીકાલથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટરો ખુલશે
Next Article રામ મંદિર ભૂમિ પૂજન પહેલા રામમય બન્યા પ્રિયંકા ગાંધી, આપ્યો આવો સંદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up