By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અહીં અડવાણીજી અને જોશીજી કેમ હાજર નથી ? ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયાર નારાજ થયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અહીં અડવાણીજી અને જોશીજી કેમ હાજર નથી ? ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયાર નારાજ થયા
GeneralNational

અહીં અડવાણીજી અને જોશીજી કેમ હાજર નથી ? ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયાર નારાજ થયા

HM News
Last updated: 05/08/2020 6:33 AM
HM News
5 years ago
Share
SHARE

અયોધ્યા/નવી દિલ્હી તા. 5 ઑગષ્ટ 2020 બુધવાર

ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો હતો કે રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પક્ષના વડીલ નેતા લાલ કૃષ્ણ અડવાની અને મુરલી મનોહર જોશીજી કેમ અહીં હાજર નથી ? આ બંને વડીલ નેતાઓની હાજરી આજે અહીં અનિવાર્ય ગણાય. રામ મંદિરના આંદોલનના પાયામાં આ નેતાઓ હતા એટલે આજે તેઓ અહીં હાજર રહેવા જોઇતા હતા.

અત્રે એ યાદ કરવા જેવું છે કે અડવાણીજી અને જોશીજી બંને ખાસ્સા વયોવૃદ્ધ છે અને હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે તેથી આ બંને નેતાઓ ઉપરાંત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમજ ભાજપના નેતા કલ્યાણ સિંઘ ઉપરાંત ઉમા ભારતીને એવી સલાહ આપવામાં આવી હતી કે તમે જોખમ લેતાં નહીં.ઉમા ભારતીએ તો આ સંદર્ભમાં સોમવારેજ આજના સમારોહના આયોજકોને જણાવી દીધું હતું કે હું સમારોહમાં હાજર નહીં રહું, સરયૂ તીરે હાજરી આપીશ. વડા પ્રધાન ભૂમિપૂજન કરીને પાછા જાય ત્યારબાદ હું રામલલાના દર્શન કરવા આવીશ.

પરંતુ વિનય કટિયારને આ વાત સમજાવવામાં આવી છતાં એ નારાજ થયા હતા અને રોષ વ્યક્ત કરતા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું કે અડવાણીજી અને જોશીજીને અહીં હાજર રહેવા સમજાવી લેવા જોઇતા હતા.તેમણે કહ્યું કે કોરોરાના વાઇરસ બાબતે હું પણ જાણું છું. પરંતુ કોઇ પણ કિંમતે એમને અહીં હાજર રહેવા સમજાવી લેવા જોઇતા હતા. એમને અહીં લાવવાની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર હ તી.એમને સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને અહીં લાવવા જોઇએ એવું હું માનું છું.

આજના કાર્યક્રમના આયોજકોએ જાહેરમાં એવી અપીલ કરી હતી કે 80થી 90 વર્ષના જે લોકો અયોધ્યા આવશે તેમને માટે વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઇ પડશે એટલે બહુ વૃદ્ધજનોએ બને તો અહીં આવવાનું ટાળવું.

ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ કર્યાં જાહેર, જાણો નવી ટીમમાં કોને કોને સામેલ કરાયા ?
અફઘાનિસ્તાનના હથિયારો જમ્મુ-કાશ્મીરના આતંકીઓ પાસે પહોંચ્યા
મસાલાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઘલા નજીકથી ઝડપાયો
આત્મહત્યા:​​​​​​​વૃદ્ધે પોતાને આગ લગાવી પાંચમા માળની ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો, ફાયર-પોલીસ-108ની ટીમ દોડતી થઈ,સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
ગુજરાતમાં જમીન હસ્તાંતરણના 62 વિવાદો: 96 હજાર કરોડનું રોકાણ ફસાયું
Share This Article
Facebook Email Print
Previous Article શ્રી રામના ભવ્ય રામમંદિરના પ્રથમ ચારણનો શુભારંભ : ‘વનવાસ’થી ‘આઝાદ’ થઈ આજે ‘રામ રાજ્યાભિષેક’
Next Article આ દેશોમાં ચાલે છે ‘રામ’ નામની ચલણી નોટ, કરન્સી પર છપાયેલી છે ‘ભગવાન રામ’ની તસવીર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up