નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાની પાસેથી વધારાની રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય ગઈકાલે બોર્ડ મીટીંગમાં લીધો હતો.
સતત ઘટી રહેલી કરવેરાની આવક અને મંદીમાં સરકી પડેલા અર્થતંત્રને ઉગારવા સરકાર પર વધી ગયેલા નાણાબોજના કારણે વિકરાળ નાણાખાધનો પડકાર ઉભો છે,ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 57,128 કરોડ રૂપિયાની રકમ જ ટ્રાન્સફર કરવાનો ગઈકાલે નિર્ણય લીધો છે.