By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપમાં ‘આયારામ’ ચાલુ રહેશે.જાણો રૂપાણી, પાટીલ અને નીતિન પટેલ શું કહે છે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપમાં ‘આયારામ’ ચાલુ રહેશે.જાણો રૂપાણી, પાટીલ અને નીતિન પટેલ શું કહે છે?
GeneralGujarat NowPolitics

ભાજપમાં ‘આયારામ’ ચાલુ રહેશે.જાણો રૂપાણી, પાટીલ અને નીતિન પટેલ શું કહે છે?

HM News
Last updated: 28/10/2020 7:19 AM
HM News
5 years ago
Share
SHARE

ભાજપના નેતાઓએ હજી પણ કોંગ્રેસના આયાતી ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવીને 2022ની વિધાનસભા ચૂંટણી જીતવાનો તખ્તો ઘડી નાંખ્યો છે. પ્રદેશના નેતાઓના બયાન એવાં આવી રહ્યાં છે કે ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા માટે ભાજપ હજી કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવાનું બંધ નહીં કરે. કોંગ્રેસે તેમના વફાદાર ધારાસભ્યો માટે નવી સ્ટેટેજી ગોઠવવી પડશે.

ગુજરાતમાં કોંગ્રેસ કરતાં ભાજપ અનેકગણી મોટી પાર્ટી બની ચૂકી છે.ભાજપના સંગઠન સામે કોંગ્રેસનું વર્તમાન સંગઠન વામણું સાબિત થઇ રહ્યું છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હોદ્દો ગ્રહણ કર્યા પછી કહ્યું હતું કે ભાજપ તેના સંગઠનના જોરે ચૂંટણીઓ જીતશે, કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓને હવે ભાજપમાં લેવામાં નહીં આવે,પરંતુ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસના અનેક નેતાઓને ભાજપમાં લીધા છે.છેલ્લે લીમડીની બેઠક જીતવા માટે પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ને સીઆર પાટીલે ભગવો પહેરાવ્યો છે.

સીઆર પાટીલના નિર્ણયનો પેટાચૂંટણી દરમ્યાન છેડ ઉડી ગયો છે,કેમ કે અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં પ્રવેશ ચાલુ છે અને ગુજરાતમાં પણ ચાલુ રહેશે તેવું હાઇકમાન્ડનું વલણ અકબંધ છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો ઇશારો કર્યો હતો કે કોંગ્રેસના હજી વધુ નેતાઓ તૂટશે.કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકી નથી.કોંગ્રેસના ધારાસભ્યો જ્યારે પાર્ટી છોડીને ભાજપમાં આવે છે ત્યારે તેમના કામો થાય છે.

બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ ડૂબતું જહાજ છે.પેટાચૂંટણી પછી કોંગ્રેસ વધારે તૂટશે.ચૂંટણી સભામાં તેમણે એવો નિર્દેશ આપ્યો હતો કે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે.રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ગુજરાતમાં જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ તૂટી રહી છે.કોંગ્રેસના કાર્યકરોને તેમની લીડરશીપ પર હવે ભરોસો રહ્યો નથી.

પાર્ટીના સૂત્રો કહી રહ્યાં છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના કેટલાક વર્તમાન ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓ ભાજપમાં જોડાય તેવી સ્થિતિનું નિર્માણ થશે,કારણ કે પ્રદેશના નેતાઓ તેમની પાર્ટીને બચાવી શકે તેમ નથી. ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપ એવા નેતાઓ અને કાર્યકરોને આવકારે છે કે જેઓ ચૂંટણી જીતીને બતાવે.પાર્ટીને ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર છે.કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોમાં હજી પણ અસંતોષ ચરમસીમાએ છે.

ગુજરાત બજેટ 2022-23 : બજેટમાં રૂ. 668.09 કરોડની પુરાંત
વડોદરા જિલ્લામાં ક્યારે નહિ જોયેલી સ્થિતીનું નિર્માણ, પાર્ટીના ત્રણ પ્રબળ દાવેદારો હવે સામે પડશે : મધુ શ્રીવાસ્તવનું છલકાયું દર્દ !
બાયજુસમાંથી કેટલા કર્મચારીઓની છટણી થઈ? ૫૦૦ કે ૧૪૦૦?
જોઇ લેવાની ધમકી ન આપતા : ભાજપના નેતાઓને બોલવામાં સંયમની ખાસ સૂચના હતી
આજે નવા સંસદભવનના શ્રીગણેશ, સાંસદોને પ્રવેશ પહેલા મળશે આ વિશેષ ભેટ
Share This Article
Facebook Email Print
Previous Article ઈસ્લામિક સ્ટેટનું ભારતમાં કોરોના જેહાદ ફેલાવવાનું કાવત્રુ, એનેસ્થેસીયાનુ ઈન્જેકશન આપીને નેતાઓની હત્યા કરવા, RSSના હોદ્દેદારો પર હુમલાનુ ષડયંત્ર
Next Article અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ની ચૂંટણી પ્રચાર વેબસાઈટ હેક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up