By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મમતાના ગઢમાં અમતિ શાહનો હુંકાર, CAA મુદ્દે પીછેહઠ નહીં કરીએ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gallery > મમતાના ગઢમાં અમતિ શાહનો હુંકાર, CAA મુદ્દે પીછેહઠ નહીં કરીએ
GalleryPolitics

મમતાના ગઢમાં અમતિ શાહનો હુંકાર, CAA મુદ્દે પીછેહઠ નહીં કરીએ

HM News
Last updated: 02/03/2020 7:22 AM
HM News
5 years ago
Share
SHARE

ગૃહમંત્રીએ રેલીમાં કહ્યું – આગામી વિધાનસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપ બે તૃતિયાંશ બહુમત સાથે સરકાર બનાવશે

એજન્સી, કોલકાતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નાગરિકતા સુધારણા કાયદો (સીએએ), કાશ્મીર, રામ મંદિર, શ્યામા પ્રસાદ મુખરજીના બહાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા. મમતાના ગઢ કોલકાતામાં અમિત શાહે ગર્જના કરતા કહ્યું કે દેશની સંસદે ઘડેલા સીએએ કાયદાનો પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર વિરોધ કરી રહી છે પરંતુ અમે આ કાયદાને લઈને પીછેહઠ નહીં કરીએ. તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતિથી સરકાર બનાવશે.

અમિત શાહે જણાવ્યું કે, ‘મમતા બેનરજી જ્યારે વિપક્ષમાં હતા તો તેમણે શરણાર્થિઓ માટે નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએએ લાવ્યા તો તેઓ એક વખત ફરી કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે વિરોધ કરવા લાગ્યા છે. મમતા બેનરજી લઘુમતિઓમાં ડર ઉભો કરી રહ્યા છે કે તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. હું લઘુમતિ સમુદાયના તમામ લોકોને આશ્વસ્ત કરું છું કે સીએએ ફક્ત નાગરિકતા આપવા માટે છે અને છીનવવા માટે નથી. આ કાયદો કોઈપણ પ્રકારે તમને પ્રભાવિત નહીં કરે.’

કોલકાતાના શહીદ મેદાનમાં સીએએ સમર્થનમાં આયોજીત રેલીમાં શાહે જણાવ્યું કે, ‘પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવશે. બંગાળમાં જ્યારે પ્રચાર કરવા આવ્યા તો અમને પ્રચાર કરવા મંજૂરી અપાઈ નહતી. ગોળી વરસાવાવમાં આવી, હેલિકોપ્ટર ઉતરવા ના દીધું. 40થી વધુ કાર્યકરોએ જીવ ગુમાવ્યા. મમતાજી આ બધું કરીને તમે શું અમને રોકી શક્યા? તમે જે કરવા ઈચ્છો છો તે કરો. પ્રજા તમારું વલણ સમજી ગઈ છે. આ રેલી મમતા અને તેમની પાર્ટીના ગુંડાઓ વિરુદ્ધ છે. ભાજપ એક અભિયાન લઈને નીકળ્યો છે હવે અન્યાય સહન નહીં કરીએ. આ નારો પશ્ચિમ બંગાળમાં સરકાર ઉથલાવવા માટેનો છે.’
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, ‘જ્યારે અમે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના મેદાનમાં હતા તો મમતા દીદી કહેતા હતા કે, ડિપોઝીટ બચાવી લેજો. મમતા બેનરજી આંકડાઓ જોઈ લો, આગામી વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે બંગાળમાં ભાજપ સરકાર રચશે. 2014માં ભાજપને 87 લાખ મત મળ્યાહતા અને 2019માં 2.3 કરોડ થયા છે. રાજ્યમાંથી ભાજપના 18 સાંસદ ચૂંટાયા છે.’

MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે
નીતિશ અને ભાજપને લાગ્યો ઝટકો : ચારા કૌભાંડમાં લાલુને મળી ગયા જામીન, બિહારની ચૂંટણીમાં આવશે નવો વળાંક
ભાજપ પ્રમુખ CR પાટીલે કાર્યકર્તાઓને ટકોર્યા, ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય
આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપને ફળી, મહુવા તાલુકા પંચાયતની મહુવરિયા બેઠક પર 751 મતોથી જીત
‘પ્રશાંત કિશોરના હેવાયા ન બનો, નરેન્દ્ર મોદી છે પાક્કા આંબેડકરવાદી’, 2024માં ફરીથી મોદી PM- આઠવલે
Share This Article
Facebook Email Print
Previous Article કેરળની સરકારી કોલેજોમાં ‘ભારત અમારો દેશ નથી’ના પોસ્ટર્સ લાગ્યા
Next Article ગુજરાત સરકાર 2020-21માં 46,501 કરોડનું દેવું કરશે, વ્યાજ પેટે 23,871 કરોડ ચૂકવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up