By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આપના નેતાઓ પર હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > આપના નેતાઓ પર હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ
GeneralPoliticsSaurashtra

આપના નેતાઓ પર હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

HM News
Last updated: 01/07/2021 8:55 AM
HM News
4 years ago
Share
SHARE

જૂનાગઢ : જૂનાગઢના વિસાવદરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓના કાફલા પર હુમલો કરાયો છે.ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીના કારના કાફલા પર હુમલો કરાયો હતો.ત્યારે આ મામલે આજે ફરિયાદ નોંધાઈ છે.વિસાવદર પોલીસે કલમ 307 અંતર્ગત વિસાવદર ગુનો નોધ્યો છે.તથા ગુજરાતના દરેક જિલ્લામાં AAP જનસંવેદના મુલાકાત યાત્રા દરમિયાન પોલીસતંત્રએ સુરક્ષા પુરી પાડવાની ખાત્રી આપી છે.

આપના કાર્યકર્તાઓનો પોલીસ સ્ટેશન બહાર હોબાળો

ગઈકાલે હુમલાની ઘટના બાદ આપના નેતાઓએ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો. આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા,નેતા ઈસુદા ગઢવી,મહેશ સવાણી,પ્રવીણ રામ અને અન્ય કાર્યકર્તાઓ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા હતા.ફરિયાદ ન નોંધાવાના મામલે કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે સવારે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.તો બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે આ હુમલા અંગે વાત કરી હતી.તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

હુમલો ક્યા અને કેવી રીતે કરાયો

વિસાવદર તાલુકાના લેરિયા ગામે ગઈકાલે આપ દ્વારા સભાનું આયોજન કરાયું હતું.આપના જનસંવેદના યાત્રાના કાફલા પર હુમલો કરાયો હતો.જ્યાં હાજરી આપવી નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પહોંચ્યા હતા.આ દરમિયાન ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા.તેમની ગાડીના કાચ તોડાયા હતા અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં ચારથી પાંચ ગાડીઓને નુકસાન પહોંચ્યુ છે.તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઘટના બાદ લેરિયા ગામનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

આપ અને ભાજપ સામસામે

આપ દ્વારા આ હુમલો ભાજપના ઈશારે કરાયો હોવાનો આરોપ મૂકાયો છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો આપના નેતાઓ દ્વારા કરાયો છે.તો આ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ પ્રેરિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે.તો બીજી તરફ ભાજપ દ્વારા કહેવાયુ કે, આપ દ્વારા પ્રસિદ્ધિ માટે જાણી જોઈને હુમલો કરાયો છે. ગુજરાતના બિહાર જેવુ ચિતરવા જાતે જ હુમલો કરાવ્યો છે.

આજથી પોણું ભારત ‘બંધ’: કોરોનાના કારણે ભારતમાં બેના મોત, કુલ 83 ચેપગ્રસ્ત
મારો પુત્ર રાજધર્મ, હું રાષ્ટ્રધર્મ નિભાવીશઃ યશવંત સિંહા
હિમાચલમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 18 દિવસમાં 5મી વખત ધરા ધ્રુજી
હનુમાનજી સમા ઉમદા સેવક બનવાની પ્રતિજ્ઞા લેવાનો અને શ્રી રામના પ્યારા બનવાનો મંગલકારી અવસર
અગાઉ અસહિષ્ણુતા મુદ્દે વિધાનો કરીને વિવાદમાં ઘેરાયેલા ફિલ્મ અભિનેતા આમિર ખાનની હળાહળ ભારત વિરોધી તુર્કીનાં ફર્સ્ટ લેડી સાથે મુલાકાત
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં AAPનું કદ વધતા CM રૂપાણી આવ્યા એક્શનમાં, મંત્રીઓને આપ્યો આ આદેશ
Next Article સુરતમાં પણ ધર્માતરણ કાંડ : સંતોષ બની ગયો અબ્દુલ્લાહ… ધર્મ પરિવર્તનનો સુરતનો આંખ ખોલતો ચકચારી કિસ્સો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up