[weather_data]
Breaking News
TRENDING NEWS

નવ વર્ષની ઉજવણી પર પ્રતિબંધોનું ગ્રહણ, પાર્ટી પહેલાં જાણી લો ગાઇડલાઇન્સ

[updated_date] [post_views]

Table of Content

નવા વર્ષ પહેલા ભારત કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયું છે

દિલ્હી : નવા વર્ષ પહેલા ભારત કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયું છે.આ વેરિયન્ટ ખૂબ જ ઝડપથી પગપેસારો કરી રહ્યું છે.દેશમાં ફરી એકવાર હજારો લોકો પોઝિટિવ જોવા મળી રહ્યા છે.આવામાં તેના પ્રકોપને ઘટાડવા માટે સરકારે નવા વર્ષની ઉજવણી પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે.

કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા મુંબઈમાં પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે.વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા નવા આદેશ મુજબ હવે જાહેર સ્થળોએ જવા અંગેના પ્રતિબંધો પણ અમલમાં રહેશે. મુંબઈમાં કલમ 144 હેઠળના પ્રતિબંધોને 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે.મુંબઈ પોલીસે નાગરિકોને સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દરિયાકિનારા,ખુલ્લા મેદાનો,બગીચા,ઉદ્યાનો અથવા જાહેર સ્થળોની મુલાકાત લેવાની મનાઈ ફરમાવી છે.

ગોવામાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ અને ઇવેન્ટ્સને ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જો મહેમાનો પાસે સંપૂર્ણ રસીકરણ અથવા કોવિડ નેગેટિવ પ્રમાણપત્ર હશે.

દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.સામાજિક અંતર જાળવવા માટે શહેરમાં ક્યાંય પણ ભીડ એકઠા ન થવા દેવાની સૂચના આપવામાં આવી છે. ઓમિક્રોનના કારણે દિલ્હીમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.આ સિવાય સિનેમા હોલ,મેરેજ હોલ,સ્પા,જીમ,શાળાઓ અને યુનિવર્સિટીઓ હાલના આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.દિલ્હીમાં હોટલ અને રેસ્ટોરન્ટને તેમની ક્ષમતાના 50 ટકા સાથે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

યુપી સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કર્યો છે.આ સિવાય નોઈડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.નવા વર્ષ પર કોઈપણ કાર્યક્રમના આયોજન અંગે વહીવટીતંત્રને અગાઉથી જાણ કરવાની રહેશે અને પરવાનગી મળ્યા બાદ જ કોઈપણ પ્રકારનો કાર્યક્રમ યોજી શકાશે.

ગુરુગ્રામમાં પણ ઉજવણી પર પ્રતિબંધ નથી,પરંતુ કોઈપણ કાર્યક્રમમાં 200થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.કોવિડ પ્રોટોકોલનું પાલન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles