By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યની તમામ RTO કચેરીઓ બંધ, પરંતુ આ એક કામ કરી શકશો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યની તમામ RTO કચેરીઓ બંધ, પરંતુ આ એક કામ કરી શકશો
AhmedabadGeneralGujarat Now

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યની તમામ RTO કચેરીઓ બંધ, પરંતુ આ એક કામ કરી શકશો

HM News
Last updated: 21/03/2020 8:05 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના ઈફેક્ટના કારણે સરકારી કચેરીમાં જ્યાં સૌથી વધુ મુલાકાતીઓ આવે છે તે કચેરીમાં મુલાકાતીઓ પર અંકુશ મુકવામા આવી રહ્યો છે. જેના લીધે રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરી બંધ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ સંક્રમણ સંદર્ભે ગુજરાતની આરટીઓ કચેરીઓ પણ બંધ કરવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી તારીખ 29 માર્ચ, 2020 સુધી સ્થગિત કરી દેવાઈ છે. એટલે કે, રાજ્યની તમામ 36 આરટીઓ ઓફિસ 29 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના અપાઈ છે.

હાલ કોરોના વાયરસના ગુજરાતમાં પગપેસારા વચ્ચે રાજ્યભરમાં આગમચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, જાહેર સ્થળો, પબ્લિક ગેધરિંગ, ખાણીપીણીના બજારો બધુ જ બંધ કરાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ સૂચનો રોજેરોજ બહાર પાડવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોનાને નિયમંત્રણમાં લાવવા માટે રવિવારે જનતા કર્ફ્યુનું એલાન આપવામાં આવ્યું છે. બીજી બાજુ સૌથી વધુ લોકો આરટીઓ કચેરીઓમાં મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવીંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે. આ કામગીરી 29 માર્ચ, 2020 સુધી સ્થગિત કરાઈ છે. જેને પગલે તમામ 36 ઓફિસ બંધ રહેશે. જેથી અરજદારો માટે આરટીઓ કચેરી ખાતે કામ કાજ બંધ રહેશે. નાગરિકોને નોંધ લેવા વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા જણાવાયું છે.

બીએસ-4 એન્જિનની નોંધણી ચાલુ
આરટીઓ ઓફિસ બંધ રહેવાથી આરટીઓને લગતી તમામ સુવિધાઓ પણ બંધ રહેશે. જેમા ઓનલાઈન સુવિધાઓ પણ બંધ રાખવામાં આવનાર છે. પરંતુ બીએસ-4 એન્જિનની નોંધણી ઓનલાઈન ચાલુ રહેશે. જેથી ગ્રાહકો બીએસ-4 એન્જિનની નોંધણી કરાવી શકશે. સર્વોચ્ચ અદાલતના 24 ઓક્ટોબર, 2018ના ચુકાદાને ધ્યાનમાં રાખીને 31 માર્ચ, 2020 સુધી BS – IV ના વાહનોની નોંધણી કરવી અનિવાર્ય છે.

તેથી આ કામગીરી 31 માર્ચ, 2020 સુધી ફક્ત BS – IV વાહનોના રજીસ્ટ્રેશન માટે ચાલુ રહેશે. તેમજ જે અરજીઓ માટે અરજદારોએ આરટીઓ કચેરી ખાતે ઉપસ્થિત રહેવાની જરૂરી નથી તેવી FACELESS SERVICES ના નિકાલની કામગીરી યથાવત રહેશે. વાહન સંબંધિત કામગીરી માટે અરજદાર ઓનલાઈન ટેક્સ અને ફી ભરી શકશે. આ સિવાયની તમામ સેવાઓ માટે અરજદારોએ આરટીઓ કચેરીએ 29 માર્ચ, 2020 સુધી આવવાનું રહેશે નહિ તેવી સૂચના અપાઈ છે.

ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ પ્રસ્તાવ રજૂ : આવતી કાલે મતદાન
અરવલ્લીમાં કારે 12 પદયાત્રીઓને કચડ્યા, 6 લોકોના ઘટનાસ્થળે મોત
એક સમયે ગણાતો હતો પુતિનનો વિશ્વાસુ, હવે તેણે જ કરી દીધો બળવો : જાણો કોણ છે યેવગેની વિક્ટોરવિચ પ્રિગોઝિન
હજીરા સ્થિત AMNS કંપની વિરુદ્ધ ગેરકાયદે જમીન પર કબ્જો કરવાનો આરોપ : સરકારે આપ્યા તપાસના આદેશ
વિધાનસભામાં ઉછ્ળ્યો દારૂબંધીનો મુદ્દો : કોંગ્રેસે કહ્યું ”ઉડતા ગુજરાત” તો હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાંથી નહીં હટે દારૂબંધી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો ધડાધડ વધ્યો, નીતિન પટેલે નવો આંકડો જણાવતા હાહાકાર
Next Article પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ફરીથી ધરપકડ, 3 વર્ષ જૂના કેસમાં ટંકારાથી દબોચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up