By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં આર-પારની લડાઈ, ઈમરાનની મેગા રેલીમાં ઈસ્લામાબાદ પહોંચ્યા હજારો સમર્થક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં આર-પારની લડાઈ, ઈમરાનની મેગા રેલીમાં ઈસ્લામાબાદ પહોંચ્યા હજારો સમર્થક
GeneralInternational

પાકિસ્તાનમાં આર-પારની લડાઈ, ઈમરાનની મેગા રેલીમાં ઈસ્લામાબાદ પહોંચ્યા હજારો સમર્થક

HM News
Last updated: 28/03/2022 5:50 AM
HM News
3 years ago
Share
SHARE

ઈસ્લામાબાદ, તા. 27 માર્ચ 2022, રવિવાર : પાકિસ્તાનમાં વ્યાપેલા રાજકીય ઘમસાણ વચ્ચે 24 સાંસદો બગાવત પર ઉતરતાં ઈમરાન ખાનની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.વિપક્ષ એકજૂથ થઈ ગયું છે અને સેના પ્રમુખ બાજવાને પણ હવે ઈમરાન ખાન સહન નથી થઈ રહ્યા.ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન રાજધાની ઈસ્લામાબાદ ખાતે એક મેગા રેલી યોજવા જઈ રહ્યા છે.

આવતીકાલે એટલે કે, 28 માર્ચના રોજ ઈમરાન ખાને અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવાનો છે અને 3 કે 4 એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે.સત્તારૂઢ દળે પાકિસ્તાનની સંસદમાં એ સાબિત કરવાનું છે કે,તેના પાસે બહુમત માટે જરૂરી 172 સાંસદોનું સમર્થન છે.

ઈમરાન ખાનની રેલી માટે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો સમર્થકો ટ્રેન દ્વારા વિભિન્ન ક્ષેત્રોમાંથી રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે લોકોને ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચવા માટે અપીલ કરી હતી.

વધુ વાંચોઃ
ઈમરાન ખાનને મળ્યું જીવનદાન,હવે આ તારીખે રજૂ થશે અવિશ્વાસનો પ્રસ્તાવ

એવું માનવામાં આવે છે કે,આના દ્વારા તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માગે છે.વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા વધી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે કાર્યકરો અને નેતાઓ ઈસ્લામાબાદ રેલીમાં પહોંચી રહ્યા છે.

ઈમરાનની રેલીમાં સામેલ થવા માટે હજારો સમર્થકો ટ્રેનો,સાર્વજનિક વાહનો અને ખાનગી કારોમાં આવી રહ્યા છે.ત્યારે રેલીને રોકવા માટે વિપક્ષી દળોએ પણ મોરચા માંડ્યા છે.ઈસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ બંધ કરવાના પ્રયત્ન થયા હોવાનું પણ સામે આવ્યું છે.

મથુરા: યમુના એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત, 3 મહિલા સહીત 7 લોકોના મોત
પૂર્વ IPS અધિકારી અમિતાભ ઠાકુરની થઈ ધરપકડ, મહિલાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી
સટ્ટાબાજી એપ મહાદેવ એપ પર ઇડીની તવાઈ : 417 કરોડની સંપત્તિ જપ્ત
કોરોના મહામારી વચ્ચે આસામમાં 14465ના થયા મોત
‘દિલ્હીનાં તોફાનો અમિત શાહે કરાવ્યાં હતાં’, ડાબેરી માર્ક્સવાદી પક્ષે રજૂ કર્યો ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુઓને 2 વર્ષ બાદ મળી મંજૂરીની ભેટ
Next Article નેલ્સન મંડેલાની ધરપકડના વોરંટની હરાજી, NFTએ હેરિટેજ સાઈટને ભંડોળમાં મદદ કરવા $130,000 એકત્ર કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up