By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્રને કોઈ ફાયદો નહીં થાય : CM ઉધ્ધવ ઠાકરે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્રને કોઈ ફાયદો નહીં થાય : CM ઉધ્ધવ ઠાકરે
GeneralMumbaiPolitics

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્રને કોઈ ફાયદો નહીં થાય : CM ઉધ્ધવ ઠાકરે

HM News
Last updated: 03/04/2022 10:17 AM
HM News
3 years ago
Share
SHARE

– પશ્ચિમના પરાંની બે મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ

મુંબઈ

કેન્દ્ર સરકાર મુંબઈ- અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન માટે આગ્રહી છે. પણ દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવી હતી તો મુંબઈ- અમદાવાદને બદલે મુંબઈ- નાગપુર વચ્ચેની કરવી જોઈતી હતી.જેથી કરીને રાજ્યની રાજધાની અને ઉપરાજધાની સાથે જોડાત. તેનો ફાયદો મહારાષ્ટ્રને થયો હોત.મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન રાજ્ય માટે ફાયદાકરક નથી. એમ કરીને રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કેન્દ્ર સામે નિશાન તાક્યું હતું.આજે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મેટ્રો કાર શેડનો મુદ્દા પર કેન્દ્રની ભાજપ સરકારને ચાબખા માર્યા હતા.મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન માટે કેન્દ્ર સરકાર આગ્રહી છે.આ માટે કેન્દ્ર સરકાર મુંબઈની બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સના પરિસરની લાખો કિંમતની જમીન માંગી રહી છે.આ જગા અમે આંતરરાષ્ટ્રીય નાણાકેન્દ્ર માટે રાખી મૂકી હતી.કેન્દ્ર સરકાર આ જમીન લેતી હોય તો મુંબઈના મેટ્રો પ્રોજેક્ટના કાર શેડ માટે કાંજૂરમાર્ગ ખુલી પડેલી જમીન આપતી નથી,એમ કહીને મુખ્યપ્રધાન ઠાકરે કેન્દ્ર સરકારની સામે નિશાન તાક્યું હતું.

મુંબઈ પ્રત્યે કેન્દ્ર સરકારને પ્રેમ છે તો આ જમીન કારશેડ માટે કેમ આપતી? આ જગા મળે તો ભવિષ્ય મેટ્રોનો વિસ્તાર અંબરનાથ સુધી કરી શકાશે.આ સિવાય પમ્પિંગ સ્ટેશન અને ધારાવીમાં પુનર્વિકાસ માટે રાજ્ય સરકાર જગા માંગે છે.પણ તે જમીન કેન્દ્ર સરકાર આપતી નથી.આવા અનેક પ્રશ્નોની જડી ઉધ્ધવ ઠાકરેએ વરસાવી હતી.

તદઉપરાંત જી.એસ.ટી. સહિત વિવિધ મુદ્દા પર કેન્દ્ર સરકારે મુખ્યપ્રધાને આડે હાથ લીધી હતી.દરમિયાન ગુડી પાડવાના શુભ દિને આજે મુંબઈગરાને રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ મરાઠી ભવનનું ઉદઘાટન તેમજ લીલી ઝંડી આપીને મેટ્રો- ૭ અને મેટ્રો ૨ એનું પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું.આથી આજથી કાંદિવલી દહાણુકરવાડીથી ગોરેગામ પૂર્વ આરે કોલોની સુધી બન્ને રૂટ પર મેટ્રો સેવા શરૂ કરાઈ છે.આ બન્ને મેટ્રો શરૂ થતાં ટ્રાફિકમાં થોડીક રાહત મળશે.આ ઉદઘાટનના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર,પ્રધાન આદિત્ય ઠાકરે,પ્રધાન એકનાથ શિંદે,મેયર કિશોરી પેડણેકર,પ્રધાન અસલમ શેખ વિધાનસભ્ય સુનીલ પ્રભુ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

નવસારીમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 26 પોઝિટિવ કેસ સામે આવ્યા, કલેક્ટના PA પણ કોરોનાની ઝપેટમાં
વિવાદાસ્પદ આચરણ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂકેલા તાપી DEO ભરત પટેલ : ACB વિસ્તૃત તપાસ કરે તો ભરત પટેલની કરોડોની બેનામી સંપત્તિનો દલ્લો મળે તેવી શક્યતા
દુર્લભ પટેલ કેસમાં સુરત શહેર પોલીસ પણ કઈ ખાસ ઉકાળી ન શકતા અનેક તર્ક વિતર્ક,ભીનું સંકેલવાના પ્રયાસ ?
સચિન વાજેએ ED સમક્ષ ફોડ્યો બોમ્બ, કહ્યું કે 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ
એક્સિસ બેન્કે 1,388 કરોડની ખોટ કરી
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પહેલા મનસે નેતા રાજ ઠાકરેનો સત્તાધારી શિવસેના પર પૂરી તાકાતથી પ્રહાર
Next Article અભિનેત્રી મલાઈકા અરોરાની કારને અકસ્માત : નજીવી ઈજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up