દિલ્હી : એક સમયે દુષ્કાળ અને પાણીના પ્રશ્નોથી ઘેરાયેલું બુંદેલ ખંડનું નાનું એવું જખની ગામ હવે લીલોતરી ભર્યું બની રહ્યું છે.ઉત્તર પ્રદેશના બુંદેલ ખંડ વિસ્તારના બાંદા જિલ્લાનાં મુખ્ય મથકથી આશરે ૩૦ કિ.મી. દૂર રહેવું આ ગામ સૂકા પ્રદેશમાં લીલા-ટાપુ સમાન લાગે છે.ગામમાં પ્રવેશતાં જ ચારે-તરફ લીલાં છમ્મ ખેતરો અને વૃક્ષો દેખાય છે.તેના કુવાઓનાં જલસ્તર એટલાં ઊંચા આવેલાં જોવા મળે છે કે તમો ડોલ લઇને જ પાણી ભરી જઈ શકો તેમ છો. આ માટે ગામના લોકોની નિર્ણયાત્મકતા અને અથાક પરિશ્રમ કારણરૂપ છે.આ પાછળ પ્રખર ગાંધીવાદી નેતા ઉમાશંકર પાંડેયે ગ્રામ-જનોમાં પ્રેરેલો ઉત્સાહ અને તેઓએ આપેલું માર્ગદર્શન મુખ્ય કારણ માનવામાં આવે છે.તેઓએ જ ગામ આસપાસની પડતર જમીનમાં ખોદકામ કરી નાની નાની તલાવડીઓ રચવા ગ્રામજનોને પ્રેર્યા હતા સાથે તે તલાવડીઓના કાંઠા ઉપર વૃક્ષો વાવવા કહ્યું.પડતર જમીનના મોટા ભાગને ખોદીને ત્યાં મોટું તળાવ પણ રચાવ્યું. તેના કાંઠા ઉપર પણ વૃક્ષો વાવવા કહ્યું.તેઓએ આ કાર્યવાહી ૨૫ વર્ષ પહેલેથી શરૂ કરાવી હતી.હવે વરસાદનું પાણી આ તલાવડીઓમાં ભરાય છે.તળાવમાં પણ ભરાય છે.વૃક્ષોની ઘટા પણ જામી રહી છે.તેથી વાર્ષિક વરસાદમાં પણ થોડો વધારો થયો છે.આ તળાવોમાંથી અંત:ક્ષલિત થતું જ્યા કુવાઓનાં તળને પણ ઉંચા લીધાં છે.એક સમયે તો આ જલસ્તર ઘણાં નીચાં હતાં. ઉમાશંકર પાંડયેની સાથે અન્ય ગાંધીવાદી નેતા રામવિલાસ કુશાવાહ પણ જોડાયા છે.આ ગાંધીવાદી નેતાઓએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર વાપરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે.આ ગામમાં હિન્દુ-મુસ્લીમ વિવાદ કદી થતો જ નથી. સૌ કોઈ ભાઈચારાથી રહે છે.આ નાનાં ગામમાં પણ અત્યારે ૫૦થી વધુ ટ્રેકટરો છે. હાર્વેસ્ટ મશીનો છે. તેમજ આધુનિક તથા પરંપરાગત તેવાં દરેક સાધનોનો ઉપયોગ કરાય છે.ગામ દર વર્ષે ૭-૮ લાખ રૂપિયાના બાસમતી ચોખા વેચે છે.ઘઉં કઠોળ ઉપરાંત અહીં શાકભાજી પણ ઘણી થાય છે.જેમાં રીંગણાં, દુધી, તુવેર અને કારેલાં જેવાં શાક ઉગાડવામાં આવે છે.આ ગામ તેના શાકભાજી માટે જિલ્લાભરમાં જાણીતું થયું છે.ભારત સરકરાનાં જલશક્તિ મંત્રાલયે, જખની ગામને ‘જલગ્રામ’ તરીકે ચૂંટી કાઢ્યું છે.’નીતિ આયોગે’ તેની જલ-સંરક્ષણ વિધિને માન્યતા આપી છે.તેના આધારે તેને આદર્શ ગામ માનવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગામની જલ વ્યવસ્થા માટે પ્રશંસા કરી છે.