નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2022 બુધવાર : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસ પાર્ટીની વચ્ચે ડીલ પર મોહર લાગી ના શકી.બંને તરફથી અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સામાન્ય ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટી અને પોતાને બચાવવાના તેમના પ્રયાસનુ મજાક ઉડાવ્યુ છે.ભાજપ નેતાઓએ પીકેને સેલ્સમેન અને વેન્ડર કહેતા પાર્ટી વેચવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે.ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પ્રશાંત કિશોરને જોઈન કરાવવાના કોંગ્રેસ પાર્ટીના અસફળ પ્રયાસનુ વર્ણન કરતા મજાક ઉડાવી છે.તેમણે કહ્યુ, જો ઉત્પાદન ખરાબ હોય, તો વિક્રેતા ગમે તેટલો સારો હોય અથવા હોવાનો દાવો કરી રહ્યો હોય, તમે પરિવારવાદના ઉત્પાદનને તેની સમાપ્તિ તિથિ પહેલા.વેચી શકતા નથી. તેમણે કહ્યુ કે પાર્ટીનો એજન્ડા પરિવાર બચાઓ પાર્ટી બચાઓ છે અને આ કારણ છેકે તેઓ પાર્ટીની અંદર પરિવર્તનકારી અને સંરચનાત્મક સુધારા પર પ્રશાંત કિશોરના સલાહથી પરેશાન હતા.