By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાલુપુરથી સારંગપુર સુધી રોજ સાંજે સર્જાતો ચક્કાજામ, વાહનચાલકો ત્રસ્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કાલુપુરથી સારંગપુર સુધી રોજ સાંજે સર્જાતો ચક્કાજામ, વાહનચાલકો ત્રસ્ત
AhmedabadGeneral

કાલુપુરથી સારંગપુર સુધી રોજ સાંજે સર્જાતો ચક્કાજામ, વાહનચાલકો ત્રસ્ત

HM News
Last updated: 14/05/2022 4:16 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા.13 મે 2022, શુક્રવાર : અમદાવાદ રેલવે સ્ટેશન રોડ પર આખો દિવસ ટ્રાફિકજામ રહે છે, ખાસ કરીને રાત્રે તો કાલુપુરથી સારંગપુર સુધીનો આખો રોડ વાહનોની લાંબી કતારથી ભરચક રહેતો હોય છે.ઇમરજન્સી સેવા ૧૦૮, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ગાડીઓ માટે તો આ રોડ ક્રોસ કરવો સૌથી મુશ્કેલ છે.આ રોજિંદુ દ્રશ્ય છે.ટ્રાફિક નિયમનનો અભાવ, રિક્ષાઓનું ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દબાણ, સ્ટેશનની અંદર-બહાર જતા આવતા વાહનોની ભારે અવર-જવર સહિતના કારણોસર આ રોડ વાહનચાલકો માટે મુસીબતરૂપ પુરવાર થઇ રહ્યો છે.

અમદાવાદ રેલવે સ્ટેશને રોજ ૧૦૦થી વધુ ટ્રેનોની અવર-જવર રહેતી હોય છે.૨ લાખ મુસાફરોની ચહલપહલ જોવા મળે છે.તેવામાં આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન પ્રત્યે પુરતું અને ૨૪ કલાક માટે ધ્યાન રાખવું જરૂરી હોવા છતાંય આજદીન સુધી ગંભીરતાથી વિચારાયું ન હોવાથી ચક્કજામ આ રોડનો પર્યાય બની ગયો છે.સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનાં પટ્ટામાં રોજ સાંજે વાહનોની લાંબી લાઇન લાગી જતી હોય છે.કાચબાની ગતિએ વાહનો આગળ વધતા રહેતા હોય છે.આ સ્થિતિમાં સારંગપુર સર્કલ પર પણ ટ્રાફિક અવરોધાઇ જતા રાયપુર અને રખિયાલ તરફના વાહનો પણ રોડ પર ફસાઇ પડે છે.સાંજે તો સારંગપુરથી રાયપુર સર્કલ સુધી લાંબી વાહનોની લાઇન જોવા મળે છે.સારંગપુર બ્રિજ પણ ચક્કાજામમાં અટવાય છે.

વાહનચાલકોનો મત છેકે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે હાલ પુરતા તો ટ્રાફિક પોલીસના જવાનોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.રોડ પરથી રિક્ષાઓના ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દબાણો, આડેધડ પાર્ક થયેલા વાહનો દુર કરવાની જરૂરિયાત છે.રોડ પર ગટરને લગતી ચાલતી કામગીરી પણ યુદ્ધના ધોરણે આટોપી લેવી જોઇએ.હાલમાં ગટર લાઇનના કામને લીધે રોડ પર માલસામાન પડયો હોવાથી હાલાકી વધી છે.રેલવે સ્ટેશનની અંદર તેમજ બહાર જતા વાહનોને પ્રાથમિકતા આપીને તેઓ માટે રસ્તો ખુલ્લો કરવો જોઇએ.રોડ ક્રોસ કરતા મુસાફરો પણ ટ્રાફિકજામને લઇને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.સ્ટેશનની બહાર નીકળવાના રસ્તા પર ઉભેલી રિક્ષાઓ, ટેક્સીઓને ત્યાંથી દુર ખસેડવી જોઇએ તેવી માંગણી ઉઠી છે.

Tags :
Ahmedabad-news

અધિકારીને લાગ્યો “નેતાગીરીનો” ચસ્કો , સુરતના પૂર્વ કલેકટર બન્યા ભાજપના ઉપપ્રમુખ
એ પલટી…! ગેંગસ્ટર અતીક અહમદને લઇ જતી પોલીસ વાન સાથે મધ્ય પ્રદેશમાં એ થતાં થતાં રહી ગયું જેનો ડર….
ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ
સુરતના પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થતા 8 માસની બાળકીનું મોત
હજીરા-ઘોઘા ફેરી સર્વિસનું તા.8ના રોજ મોદીના હસ્તે ઉદઘાટન : કાલથી બુકીંગ શરૂ થઇ જશે
Share This Article
Facebook Email Print
Previous Article કવોરી ઉત્પાદકોની હડતાળના પગલે, અમદાવાદમાં રોડ રીસરફેસ,નવા રોડ બનાવવાની કામગીરી બંધ કરવી પડી
Next Article કાંકરિયા ઝૂમાં પક્ષી અને પ્રાણીઓને ડી હાઈડ્રેશનથી બચાવવા પાણીમાં ઓ.આર.એસ. અપાય છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up