By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જુહાપુરામાં ટોળા એકત્રિત થવા લાગ્યા, પોલીસે 48 લોકોને ડિટેન કર્યા, સ્થિતિ શાંતિપૂર્ણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > જુહાપુરામાં ટોળા એકત્રિત થવા લાગ્યા, પોલીસે 48 લોકોને ડિટેન કર્યા, સ્થિતિ શાંતિપૂર્ણ
AhmedabadGeneral

જુહાપુરામાં ટોળા એકત્રિત થવા લાગ્યા, પોલીસે 48 લોકોને ડિટેન કર્યા, સ્થિતિ શાંતિપૂર્ણ

HM News
Last updated: 14/06/2022 5:54 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના આપત્તિજનક નિવેદનને કારણે ઊભો થયેલો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.શુક્રવારે શહેરમાં લોકોના ટોળા એકત્રિત થયા બાદ રવિવારે પણ આ મુદ્દાના વિરોધમાં જુહાપુરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનો મેસેજ વાયરલ થયો હતો.તેથી લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા.જેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ડીસીપી ઝોન-૭ ભગીરથસિંહ જાડેજા રોડ પર ઉતરી આવ્યા હતા.તેમણે ટોળાને શાંતિથી વિખરાઇ જવા અપીલ કરી હતી પરંતુ લોકો પોલીસની અપીલને અવગણતા પોલીસે થોડો બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને ૪૮ લોકોને ડિટેન કરવા પડયા હતા.પોલીસે બળ પ્રયોગ કરતાં ટોળા વિખરાઇ ગયા હતા.નૂપુર શર્માના ઉચ્ચારણો સામે ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાં પણ શુક્રવારે પાંચ સ્થળે રેલીઓ યોજાઇ હતી.સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ રાજેન્દ્ર અસારીએ ઘટનાસ્થળે દોડી જઇ અગ્રણીઓ સાથે ચર્ચા કરતાં મામલો થાળે પડ્યો હતો.

શુક્રવાર રાત્રિથી જ રવિવારે જુહાપુરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાના મેસેજ વાયરલ થયા હતા.જેને પગલે સવારથી જ પોલીસે એલર્ટ હતી પરંતુ બપોરે જુહાપુરમાં લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા.પરિસ્થિતિ પામી જતાં ડીસીપી ઝોન-૭ ભગીરથસિંહ જાડેજાએ લોકોને વિખરાઇ જવા અપીલ કરી હતી પરંતુ પરિણામ ન મળતાં તેમણે પોલીસને બળપ્રયોગ માટે આદેશ આપ્યા હતા.૨૬ મહિલા સહિત ૪૮ લોકોને ડિટેન કરવા પડ્યા હતા.પોલીસના બળ પ્રયોગથી વાતાવરણ શાંત થયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ જ બાબતમાં શાહપુરમાં પણ રેલીનું આયોજન આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ૧૧ લોકોની આટકાયત કરવામાં આવી હતી.

jackpot nasıl oynanır – Jackpot Nedir Ve Nasıl Oynanır
અમરોલીના કાપડના કારખાનેદારને રૂ. 23.14 લાખનું પેમેન્ટ નહીં ચુકવી દંપતી ફરાર
‘ભારત’ કહો કે ‘ઈન્ડિયા’ અમે દખલ નહીં કરીએ : સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ
ઈંધણની આવક ઘટતા સરકાર રૂ.1 લાખ કરોડનું દેવું કરશે
ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો ફલેટ ખરીદનારે સોદો રદ્દ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article આજથી રાજ્યની તમામ શાળાઓ પુનઃ ધમધમશે
Next Article રોડ કૌભાંડમાં જેની સામે પગલા લેવાયા તે કોન્ટ્રાકટર આર્બીટ્રેશનમાં મ્યુનિ. સામે કેસ જીત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up