By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પરપ્રાંતિયો માટે દેવદૂત બન્યા CM રૂપાણી, કહ્યું-‘ભાગો નહી બધી જ વ્યવસ્થા કરી આપીશું’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પરપ્રાંતિયો માટે દેવદૂત બન્યા CM રૂપાણી, કહ્યું-‘ભાગો નહી બધી જ વ્યવસ્થા કરી આપીશું’
AhmedabadGeneralGujarat Now

પરપ્રાંતિયો માટે દેવદૂત બન્યા CM રૂપાણી, કહ્યું-‘ભાગો નહી બધી જ વ્યવસ્થા કરી આપીશું’

HM News
Last updated: 26/03/2020 2:14 PM
HM News
5 years ago
Share
SHARE

હાલમાં સમગ્ર રાજ્ય અને દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરમાં બેસીને કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. તો ગુજરાતમાં આવી પોતાની આજીવિકા રળતા કેટલાક પ્રરપ્રાંતિય લોકોએ પોતાના વતનની વાટ પકડી છે. જેઓને વાહનવ્યવહાર મળી રહ્યો નથી તેઓ પગપાળા જ પોતાના વતન તરફ જઇ રહ્યા છે. આ લોકો સાથે તેમનો પરિવાર અને બાળકો પણ છે. જેઓ ભૂખ્યા-તરસ્યા પગપાળા વતન તરફ જઇ રહ્યા છે. આ લોકોની દયનિય સ્થિતિને જોઇ ગુજરાતના મુખ્યમંત્રીએ તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરી નાંખી છે.

રાજ્યનાં મુખ્યમંત્રીની ગુજરાતમાં કામ કરતા શ્રમજીવીઓને અપીલ કરી છે કે, શ્રમજીવીઓ પોતાના વતન ચાલીને ન જાય. અને તેમણે કહ્યું છે કે,”અમે તમારી ચિંતા કરીએ છીએ, રાજ્ય સરકાર શ્રમજીવીઓ માટે તમામ વ્યવસ્થા કરી રહી છે. સરકાર તરફથી પરપ્રાંતિય શ્રમિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા તંત્ર કરશે.”

વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોઈપણ શ્રમિક ગુજરાત બહાર ન નીકળે. લોકોને ઘર બહાર ન નીકળવા CM રૂપાણીએ અપીલ કરી હતી. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં અનેક રાજ્યના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે.

કોરોના વાઈરસની જીવલેણ બીમારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 44 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાયા છે. 13 સેમ્પલ પૈકી 12 નેગેટિવ અને એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

શ્રીલંકા સામે 414 રન કર્યા બાદ પણ ભારતને નાકે દમ આવી ગયો હતો
ફાંસીની તારીખ નજીક આવતાં જ નિર્ભયાના નરાધમો સ્ટાફ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા
ટેરર ફંડિંગ કેસમાં અલગાવવાદી નેતા યાસિન મલિક દોષી જાહેર
પલસાણા પોલીસે બગુમરાથી 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ :ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં કરાયું સર્ચ
Share This Article
Facebook Email Print
Previous Article ડૉક્ટરનો દાવો- ભારતમાં આ કારણે નહીં વધે ડેથ રેટ
Next Article મમતા બેનર્જીએ 18 રાજ્યના CMને લખ્યો પત્ર, કહ્યુ- તમારા લોકોને અમે સાચવીશું, અમારા લોકોને તમે સાચવજો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up