By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દલિત યુવતીની આત્મહત્યાના કેસમાં પાલિતાણાની સીએમ વિદ્યાલયના આચાર્યની ધરપકડનો માર્ગ મોકળો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દલિત યુવતીની આત્મહત્યાના કેસમાં પાલિતાણાની સીએમ વિદ્યાલયના આચાર્યની ધરપકડનો માર્ગ મોકળો
AhmedabadGeneral

દલિત યુવતીની આત્મહત્યાના કેસમાં પાલિતાણાની સીએમ વિદ્યાલયના આચાર્યની ધરપકડનો માર્ગ મોકળો

HM News
Last updated: 14/07/2022 6:43 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : પાલિતાણાની દલિત યુવતીને શારીરિક-માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાના કેસમાં સી.એમ.વિદ્યાલય,પાલિતાણાના આરોપી પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ દ્વારા પોતાની વિરુધ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી કવોશીંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતાં આરોપીને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.

હાઇકોર્ટે અગાઉ આરોપી પ્રિન્સીપાલની ધરપકડ સામે સ્ટે આપતી વચગાળાની રાહત જારી કરી હતી.જો કે,આરોપી ઘનશ્યામસિંહ રાઠોડની કવોશીંગ પિટિશનની આખરી સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આરોપીને આપેલી રાહત પાછી ખેંચી લીધી હતી અને તેની અરજી ફગાવી દેવાનું વલણ અખત્યાર કરતાં તેને પોતાની કવોશીંગ પિટિશન પાછી ખેંચી લેવી પડી હતી.જેેને પગલે હવે આ ચકચારભર્યા કેસમાં સી.એમ.વિદ્યાલય હાઇસ્કૂલના આરોપી પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડની ધરપકડનો માર્ગ પોલીસ માટે મોકળો થયો છે.દલિત યુવતીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણના કેસમાં આરોપી પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ વિરુધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોધાઇ હતી.જે અંગેની ફરિયાદ રદ કરવાનો હાઇકોર્ટેે ઇન્કાર કરી દીધો હતો.

અમેરિકી વકીલે કોરોના ના પ્રકોપ માટે ચીન વિરુદ્ધ કર્યો 20 મિલિયન ડૉલરનો કેસ
નાની દમણના ભેંસલોરની વાડીમાં દીપડો દેખાયો
નાતાલાની ઉજવણીમાં બ્રેકઃ કેસો વધતાં રાતના 11થી સવારના 5 સુધી રાત્રિ કરફ્યૂ
ગોરખપુરમાં સમૂહલગ્નમાં એક જ મંડપમાં મા -દીકરી બન્નેનાં લગ્ન થયાં
કાલુપુરથી સારંગપુર સુધી રોજ સાંજે સર્જાતો ચક્કાજામ, વાહનચાલકો ત્રસ્ત
Share This Article
Facebook Email Print
Previous Article પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર સામેની પ્રોસીડીંગ્સ હાઇકોર્ટે ચાલુ રાખી
Next Article ભારે વરસાદ: અમદાવાદ-મુંબઈ હાઈ વે બંધ કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up