By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: AAPથી કોઈ પડકાર નહીં, અમારા પાસે અનેક બ્રહ્માસ્ત્ર છે : પાટીલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > AAPથી કોઈ પડકાર નહીં, અમારા પાસે અનેક બ્રહ્માસ્ત્ર છે : પાટીલ
AhmedabadGeneralPolitics

AAPથી કોઈ પડકાર નહીં, અમારા પાસે અનેક બ્રહ્માસ્ત્ર છે : પાટીલ

HM News
Last updated: 03/10/2022 3:42 AM
HM News
3 years ago
Share
SHARE

– સુરત નગર નિગમમાં આમ આદમી પાર્ટી એટલા માટે 27 બેઠકો જીતી શકી કારણ કે, PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હતી

અમદાવાદ, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે.પંજાબમાં મળેલી ભારે મોટી સફળતા બાદ ઉત્સાહમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં સક્રિયતા દાખવી રહ્યા છે.બીજી બાજુ ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાતની મુલાકાત લઈને લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

આ બધા વચ્ચે ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માસ્ટર પ્લાનિંગ સહિત કેટલાક બ્રહ્માસ્ત્ર છે જે વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

AAPનો કોઈ પડકાર નહીં

પાટીલના કહેવા પ્રમાણે ભાજપને આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો પડકાર નથી.સુરત નગર નિગમમાં આમ આદમી પાર્ટી એટલા માટે 27 બેઠકો જીતી શકી કારણ કે, PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હતી.

મોદી-શાહ કરશે ટિકિટની વહેંચણી

પાટીલના કહેવા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાં ટિકિટની વહેંચણી મોદી અને શાહ પર જ છોડી દેવામાં આવશે.તેમણે તમામ ઉમેદવારોનો બાયોડેટા વડાપ્રધાન અને ગૃહમંત્રીને સોંપી દેવાનો નિર્ણય લીધો છે.તેઓ દરેક કાર્યકરને ઓળખે છે.આમ જેને ટિકિટ નહીં મળે તેને પણ દિલ્હીથી નિર્ણય લેવાશે એટલે કોઈ પસ્તાવો નહીં થાય.

કોંગ્રેસ માટે શું કહ્યું

ભાજપના પ્રદેશ અધ્યક્ષે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે કહ્યું કે, કોંગ્રેસનો અગાઉ જેવો 35 ટકાથી વધુ આધાર ધરાવતો વોટ શેર હવે નથી રહ્યો પરંતુ તેમના 15-18 ટકા મત હજું પણ સુરક્ષિત છે.આમ કોંગ્રેસ નિર્વિવાદપણે નંબર-2 પર છે.

પાટીલે જણાવ્યું કે, ઐતિહાસિક રીતે ગુજરાતે ચૂંટણીમાં કદી ત્રિકોણીયો જંગ નથી જોયો માટે આમ આદમી પાર્ટી ક્યાંય ટક્કરમાં પણ નથી અને તેનાથી કોઈ પડકાર જેવું પણ નથી.વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ફરી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે પરંતુ કેન્દ્રીય કે સ્થાનિક સ્તરે અમુક ઘટનાઓના કારણે તે આ માટે સક્ષમ નથી.આ સાથે જ તેમણે મુખ્યમંત્રી પદનો આગામી ચહેરો કોણ હશે તેવા સવાલના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારૂં કામ કર્યું છે અને તેમને વધુ એક કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

સરકારની ‘વિકાસ’યાત્રા : દેશનું દેવું GDPના 90%થી વધી જશે; અહેવાલમાં મોટો ધડાકો
કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર
મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
મુંબઈ ક્રિકેટ એસોસિએશને આઠ વર્ષથી પોલીસને 14.82 કરોડ ચૂકવ્યા નથી
Share This Article
Facebook Email Print
Previous Article હિન્દુ મહાસભાએ દુર્ગા માતાના પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દર્શાવ્યા
Next Article હવે કેજરીવાલે ગાયના મુદ્દે આપી ગેરન્ટી, જાણો શું કહ્યું ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up