By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં મતદાન પહેલા બહિષ્કાર બેનરના કારણે રાજકારણીઓની ચિંતામાં વધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મતદાન પહેલા બહિષ્કાર બેનરના કારણે રાજકારણીઓની ચિંતામાં વધારો
GeneralPoliticsSurat

સુરતમાં મતદાન પહેલા બહિષ્કાર બેનરના કારણે રાજકારણીઓની ચિંતામાં વધારો

HM News
Last updated: 29/11/2022 9:09 AM
HM News
3 years ago
Share
SHARE

– મતદાનના ગણતરીના કલાકો પહેલાં કામરેજની પાંચ સોસાયટીમાં ચુંટણી બહિષ્કારના બેનર લાગ્યા

સુરત,તા.29 નવેમ્બર 2022,મંગળવાર : ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતી પાંચેક જેટલા મોટી સોસાયટીના રહીશોને રોડ ને બદલે માત્ર વચન જ મળતાં સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કરતાં રાજકારણીઓ દોડતા થયાં છે.આ સોસાયટીના રહીશો પાંચવર્ષથી રોડની માગણી કરે છે પરંતુ રોડ ન બનતાં આઠ હજારથી વધુ મતદારો ધરાવતી સોસાયટીઓએ મતદાન નહીં કરવાનો નિર્ણય સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી માટે મતદાન કરવા ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નારાજ મતદારો પોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે.સુરતના કતારગામ સહિત કેટલીક સોસાયટીઓમાં ગઈકાલે સુચિત સોસાયટીઓમાં વેરો દાખલ થયાં છે તેના જંત્રી પ્રમાણે ભરણુ ભરીને કાયદેસર આપવાની બાંહેધરી આપે તેવા જ રાજકારણીઓએ આવવું બાકી અન્ય કોઈએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લાગ્યા હતા.ત્યાર બાદ આજે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવતી અંબા લક્ઝુરિયા,લક્ષ્મીધામ સોસાયટી,વિક્ટોરિયા ટાઉનશીપ,નવકાર રેસીડેન્સી અને સહજાનંદ સોસાયટીને સાંકળતો રોડ બનાવવા માટેની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી થતી ન હોવાથી મતદારો રોષે ભરાયા છે.આ સોસાયટીમાં આઠ હજાર જેટલા મતદારો છે તેઓ આક્રોશપૂર્ણ રીતે કહે છે કે, રોડ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે માગણી કરી રહ્યા છે પરંતુ માત્ર વચન આપવામાં આવે છે રોડનું કામ કરવામાં આવતું નથી.અત્યાર સુધી રાજનેતાઓ અમારી માગણી સંતોષવાના બદલે ખોટા વચનો આપતા હતા જેના કારણે અમારી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.આ રોડ ન બનતાં સોસાયટી ના આઠ હજારથી વધુ લોકો ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલક સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની હાલત હોવા છતાં રાજકારણીઓ અમારી વાતને ધ્યાને લેતા ન હોવાથી અમે સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતી સોસાયટીઓ મતદાન બહિષ્કારની જાહેરાત કરતાં બેનર લગાવતાં રાજકારણીઓ દોડતા થયાં છે.ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી માટે મતદાન કરવા ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નારાજ મતદારો પોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે.સુરતના કતારગામ સહિત કેટલીક સોસાયટીઓમાં ગઈકાલે સુચિત સોસાયટીઓમાં વેરો દાખલ થયાં છે તેના જંત્રી પ્રમાણે ભરણુ ભરીને કાયદેસર આપવાની બાંહેધરી આપે તેવા જ રાજકારણીઓએ આવવું બાકી અન્ય કોઈએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લાગ્યા હતા.

મહાન શાસ્ત્રીય ગાયક,સંગીતકાર,પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઇમાં નિધન
ગુજરાતના કોઇપણ જિલ્લામાં જવા-આવવા માટે હવે મંજુરીની જરૂર નહિ : નીતિન પટેલ
5000 કરોડ વાળી ભાજપ પાર્ટી ખરીદી શકે છે સુરત AAPના કોર્પોરેટર : 4 કાર્પોરેટરના ફોન બંઘ
વલસાડના કાંઠા વિસ્તારના કાચા ઘર ખાલી કરાવાયા
પાટિલને આહિર વ્યક્તિએ ફોન કરીને તતડાવી કહ્યું-દ્વારકા આવી માફી માંગો
Share This Article
Facebook Email Print
Previous Article ફિફા વર્લ્ડ કપ અને ગુજરાત-ઇલેક્શન : છાંટોપાણી વિનાના ફિક્કા બે જંગ
Next Article ડિવાઈડર તોડી પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરનાર ‘આપ’ના બે કાર્યકરની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up