By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બળવાખોરો વિરુદ્ધ ભાજપની લાલ આંખ, જીતી જશે તો પણ પાર્ટીમાં સ્થાન નહીં મળે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બળવાખોરો વિરુદ્ધ ભાજપની લાલ આંખ, જીતી જશે તો પણ પાર્ટીમાં સ્થાન નહીં મળે
GeneralGujarat NowPolitics

બળવાખોરો વિરુદ્ધ ભાજપની લાલ આંખ, જીતી જશે તો પણ પાર્ટીમાં સ્થાન નહીં મળે

HM News
Last updated: 05/12/2022 9:55 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે,હવે સોમવારે મતદાન યોજાવાનું છે.આ વખતની ચૂંટણીમાં ટિકિટ ના મળવાથી દરેક પાર્ટીમાં નારાજગી સામે આવી હતી.જેમાં કેટલાક નારાજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આવા બળવાખોર નેતાઓ સામે ભાજપે લાલઆંખ કરી છે.

આજે પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બળવાખોરોને ચેતવણી આપતા જણાવ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે.પાર્ટીમાં ગેરશિસ્ત ક્યારેય નહીં ચલાવી લેવાય.અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કેટલાક લોકોએ બળવો પોકાર્યો હતો.જે પૈકી અમુક લોકો જીત્યા હોવા છતાં અમે તેમને પાર્ટીમાં નથી લીધા.વિધાનસભા ચૂંટણીમાં પણ બળવાખોર ઉમેદવારના જીતવાની કોઈ શક્યતા નથી.આમ છતાં જો તેઓ જીતશે,તો પણ અમે તેમને પાર્ટીમાં ફરીથી લેવાના નથી.પક્ષમાં ગેરશિસ્ત આચરનાર કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સસ્પેન્ડ કરવામાં આવેલ કાર્યકર્તાઓને ભાજપમાં પરત લેવાના નથી.

અગાઉ જીતુ વાઘાણીએ પણ મહીસાગરના લુણાવાડામાં જાહેર મંચ પરથી બળવાખોરોને કડક સંદેશ આપ્યો હતો.જેમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ ભાજપને દગો કર્યો છે,તેમને પાર્ટીમાં ફરીથી લેવાના નથી.જેમને ભાજપે મોટા કર્યાં છે,તેઓએ બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સાથે દગો કર્યો છે.તેમને ફરીથી પાર્ટીમાં લેવાની જગ્યાએ અમે નવા ઉમેદવાર તૈયાર કરીશું.

જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જે લોકોને ટિકિટ નથી મળી,તેવા અનેક ટિકિટવાંચ્છુઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.ભાજપના આ બળવાખોર નેતાઓ કઈ પાર્ટીનું ગણિત બગાડે છે? તે જોવું રહ્યું.

યુપી: લખનઉની મસ્જિદોમાં સંતાયેલા 24 વિદેશીઓ શોધી લેવાયા : મરકઝમાં હતા સામેલ
સોમનાથ મંદિરના સ્થાપના દિનની તિથિ મુજબ ઉજવણી કરાઈ
J&Kના પૂર્વ ગવર્નરની ફરિયાદને પગલે CBIએ બે FIR નોંધી
અમદાવાદઃ ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો
ભુજની જીકે હોસ્પિટલની ઘોર બેદરકારી : હોસ્પિટલે જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દીધું,દફનવિધિએ જતી વખતે પિતાને જાણ થઈ કે….
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરાના 200 ટ્રાન્સજેન્ડર્સે મત આપીને લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપ્યો
Next Article અમદાવાદની રેલીમાં રોઈ પડ્યા ઓવૈસી, કહ્યું- ‘ફરીથી કોઈ બિલકિશ બાનો સાથે અન્યાય ના થાય’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up