હૈદ્રાબાદ તા. ૨ : તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં આવેલી એક લેબોરેટરીમાં કોરોના વાયરસને પેદા કરવામાં આવી રહ્યો છે.જી નહીં, ડરો નહીં. આ ટેસ્ટથી વાયરસના જીનોમ સ્ટ્રકચરને સમજવાની કોશિષ કરાય રહી છે.જો વૈજ્ઞાનિક આ રીતે યોગ્ય રીતે સમજવામાં સફળ થયા તો આશા છે કે કોરોના વાયરસની દવા અને રસી ઝડપથી અને વધુ સરળતાથી બનાવી શકાય.આ ટેસ્ટ Center for Cellular and Molecular Biology (CCMB) દ્વારા બનાવામાં આવી રહ્યો છે.કોરોનાના કેસ વધવાની આશંકા વ્યકત કરતાં સીસીએમબીના ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે ઘાતક કોરોના વાયરસના ખાત્મા માટે કોઇપણ દેશને દવા બનાવા કે રસી વિકસિત કરવામાં કમ સે કમ એક વર્ષ લાગી શકે છે.આથી અત્યારે એકબીજાથી સોશિયલ ડિસ્ટેંસિંગ અને સ્વચ્છતા બનાવી રાખવી જ આ વિષાણુની ઝપટમાં આવવાથી બચવાની એકમાત્ર રીત છે.રાકેશ મિશ્રાએ કહ્યું કે અમે Covid-19 પર રિસર્ચ શરૂ કરી દીધું છે.અમે અમારી પ્રયોગશાળાઓમાં આ વાયરસને મોટી સંખ્યામાં પેદા કરવાનું શરૂ કરી દીધું છે,જેથી અમે આ કોશિકાઓમાં તેની વૃદ્ઘિનો અભ્યાસ કરવાના વાસ્તે સીરમ તપાસ માટે ઉપયોગ કરી શકીએ.તેમણે એમ પણ કહ્યું કે સીસીએમબી એ મંગળવારથી કોરોના વાયરસના નમૂનાની તપાસની શરૂઆત કરી દીધી.સંસ્થાન એક દિવસમાં સેંકડો નમૂનાની તપાસ કરવામાં સમર્થ છે.સીસીએમબી ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો આવવાનો પ્રશ્ન જ નથી.તમામ સંકેત દર્શાવી રહ્યા છે કે કેસ વધી રહ્યા છે.આ કયાં સુધી જશે એ વાત પર નિર્ભર કરશે કે આપણું લોકડાઉન કેટલું પ્રભાવી રહે છે.ચીની લોકોની ગતિવિધિ નિયંત્રિત કરવાના લીધે તેનાથી બહાર નીકળી ગયા.કોઇપણ દેશ ઓછામાં ઓછો એક વર્ષ પહેલાં રસી બનાવી શકશે નહીં.તેમણે આગળ કહ્યું કે ભારતને પોતાની તપાસ ક્ષમતાને વધારવાની આવશ્યકતા છે જેથી કરીને મહામારીની સટીક સ્થિતિ સામે આવી શકે.