
– નવજોત કૌર સિદ્ધુએ કહ્યું – સિદ્ધુ એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી
– ટ્વિટમાં લખ્યું – બહાર રહેવું અને દરરોજ તમારી રાહ જોવી ખૂબ જ પીડાદાયક
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ ગુરુવારે જણાવ્યું કે તેમને સ્ટેજ ટુ કેન્સર છે.ટ્વિટર પર આ માહિતી આપતા તેમણે નવજોત સિંહ સિદ્ધુ માટે એક સંદેશ પણ લખ્યો,જે હાલમાં જેલમાં છે.નવજોત કૌર સિદ્ધુએ કહ્યું, તે (નવજોત સિંહ સિદ્ધુ) એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી.આમાં સામેલ દરેકને માફ કરશો.બહાર રહેવું અને દરરોજ તમારી રાહ જોવી ખૂબ જ પીડાદાયક છે.કંઈક થયું છે,હું જાણું છું કે તે ખરાબ છે.
He is in the prison for a crime he has not committed.Forgive all those involved.Waiting for you each day outside probably suffering more than you. As usual trying to take your pain away,asked for sharing it. Happened to see a small growth, knew it was bad.1/2
— DR NAVJOT SIDHU (@DrDrnavjotsidhu) March 22, 2023
ઈમોશનલ ટ્વિટમાં જુઓ શું લખ્યું…
તમારી રાહ જોઇ, તમને વારંવાર ન્યાય ન મળતો જોયો.પરંતુ, સત્ય ખૂબ જ મજબૂત છે અને કળયુગ તમારી આકરી કસોટી કરે છે.માફ કરશો તમારા માટે વધારે રાહ જોઈ શકતી નથી કારણ કે આ સ્ટેજ ટુ આક્રમક કેન્સર છે.આજે ઓપરેશન થશે. તેમાં કોઈની ભૂલ નથી કારણ કે તે ભગવાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ 1998ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.તે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે.તેમને ગયા વર્ષે 20 મેના રોજ જેલમાં મોકલવામાં આવ્યા હતા.તેમણે પટિયાલા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.