By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ,પોટલામાંથી મળ્યા 50 લાખ : VIDEO
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ,પોટલામાંથી મળ્યા 50 લાખ : VIDEO
GeneralSaurashtra

DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ,પોટલામાંથી મળ્યા 50 લાખ : VIDEO

HM News
Last updated: 27/03/2023 9:32 AM
HM News
2 years ago
Share
SHARE

સીબીઆઈની ટીમે શનિવારે જવરીમલને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા.જે બાદ તેમની ઓફિસ અને રહેઠાણ પર સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું.રવિવારે સવારે જાવરીમલે ચોથા માળેથી તેમની ચેમ્બરની બારીમાંથી કૂદકો માર્યો હતો.નીચે પટકાતા ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જવરીમલ બિશ્નોઈના લાંચ અને આપઘાત મામલે હવે નવો ખુલાસો થયો છે.ગઈકાલે ફ્લેટમાંથી રૂપિયા ભરેલી બેગો ફેંકતા સીસીટીવી સામે આવ્યા બાદ આજે વધુ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં પડોશીના ફ્લેટની ગેલેરીમાં રૂપિયાનું પોટલું ફેકવામાં આવ્યું હતું.જે બાદ જેમની ગેલેરીમાં રૂપિયાનું પોટલું નાખ્યું હતું તે પડોશીને આશંકા ગઈ હતી અને તેમણે CBIને જાણ કરી હતી. CBIએ 50 લાખ રૂપિયાનું પોટલું રિકવર કર્યું છે.

રાજકોટમાં ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક, ઘરેથી પૈસા ભરેલા બેગ ફેકાયાના CCTV આવ્યા સામે#CCTV #CCTVFootage #Rajkot #rajkotnews #money #News #newsupdate #gujarat #GujaratiNews pic.twitter.com/srk7LVCliP

— Hindustan Mirror (@MirrorHindustan) March 27, 2023

કસ્ટડીમાં ક્લાસ વન ઓફિસર જવરીમલ બિશ્નોઈના મોતના મામલાને ધ્યાનમાં રાખીને CBIના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે.બીજી તરફ રાજકોટની પ્રદ્યુમન નગર પોલીસે પણ આ મામલે જાવરીમલને રંગે હાથે ઝડપનાર ટીમના સભ્યોની પણ પૂછપરછ કરી છે અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે.કસ્ટોડિયલ ડેથના કેસને કારણે પોલીસ પણ દોડધામ કરી રહી છે.સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે જવરીમલને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ ટીમે તેમના ઘરની પણ તલાશી લીધી હતી.આ દરમિયાન તેમના સંબંધીઓ પાસેથી 50 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાં પણ મળી આવ્યા છે.તેમના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ લાંચ કેસની તપાસમાં કુલ મળીને અત્યાર સુધી કુલ 1 કરોડ રોકડ અને 900 ગ્રામ ચાંદી પણ રિકવર કરવામાં આવી છે.

સુરત સ્થિત લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેરેકમાં કેદીઓએ આગ લગાડી : પોલીસ સાથે રકઝક… (VIDEO)
બોર્ડ-નિગમોના કર્મીઓ જલસા છે? નાણાં વિભાગે શું કહ્યું
ઘરના છોકરા ઘંટી ચાટે અને….. ભારતે શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું
હે ભગવાન !! સુરતમાં ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કરતા ચકચાર
અયોધ્યા ઍરપોર્ટનો આવતા મહિનાથી પ્રારંભ
Share This Article
Facebook Email Print
Previous Article ઈસુદાન હજી બચ્ચું છે, ચૈતર વસાવા બોલતો પોપટ : મનસુખ વસાવા (જુઓ VIDEO)
Next Article વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up