By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લૉકડાઉનમાં પોલીસ કોઈપણ વ્યક્તિનાં વાહન જપ્ત ન કરે : હાર્દિક પટેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > લૉકડાઉનમાં પોલીસ કોઈપણ વ્યક્તિનાં વાહન જપ્ત ન કરે : હાર્દિક પટેલ
GalleryGandhinagar

લૉકડાઉનમાં પોલીસ કોઈપણ વ્યક્તિનાં વાહન જપ્ત ન કરે : હાર્દિક પટેલ

HM News
Last updated: 12/04/2020 8:13 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં સંદર્ભે દેશભરમાં કરવામાં આવેલા લૉકડાઉનનાં પગલે ગુજરાત સરકાર પણ તેનું પાલન કડકાઈથી કરી રહી છે.આ લોકડાઉનની સ્થિતિમાં અનેક લોકો પોતાના વાહન પર જીવનજરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે નીકળે છે.ત્યારે પોલીસ દ્વારા આવા પ્રકારનાં વાહન ચાલકોનાં વાહન જપ્ત ન કરવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુને પત્ર લખી રજુઆત કરી છે.

હાર્દિક પટેલે પોતાના આ પત્રમાં વાહનવ્યવ્હાર મંત્રી આર.સી.ફળદુને રજૂઆત કરતાં જણાવ્યું છે કે,જય ભારત સાથે જણાવવાનું કે,હાલમાં સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહેલ છે.તે અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના આદેશો કરવામાં આવ્યા છે.લૉકડાઉન દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે બહાર નીકળતા લોકોના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે.પરંતુ ઓડિશા હાઈકોર્ટના આદેશમાં જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી નજીકમાં જીવન જરૂરી ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે વાહનો જપ્ત કરવા તે અયોગ્ય છે.

બિનજરૂરી રીતે વાહનો જપ્ત થવાથી લોકોમાં મુશ્કેલી વધી શકે છે.તેમજ લોકો અને પોલીસ વચ્ચે ખોટું ઘર્ષણ વધી શકે છે.જપ્ત થયેલા વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધે તેવી પુરી શકયતા છે.કોઈ વ્યક્તિ વ્યાજબી કારણોસર વાહન લઈને ઘરની બહાર નીકળ્યો છે કે નહિ તેની વ્યવસ્થા કરવા માટે સોસાયટી/એપાર્ટમેન્ટના પ્રમુખને લેખિત ચિઠ્ઠી કરી આપવાની માર્ગદર્શિકા જાહેર કરી શકાય તેમ છે.સોસાયટી/એપાર્ટમેન્ટનાં પ્રમુખ નાની કાપલીમાં સોસાયટીનો સિક્કો અને તારીખ અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કાપલી માન્ય ગણાશે તેવું વધુમાં વધુ એક કલાકનું લખાણ કરી આપવાથી પોલીસને પણ ખોટી રીતે બહાર નીકળતા લોકોને પકડવામાં સરળતા થશે.

આમ,જો લોકોને જીવનજરૂરી ચીજવસ્તુ લેવામાં પણ હેરાનગતિ કરવામાં આવશે તો અસરકારક લૉકડાઉન કરી શકાશે નહીં.માટે મારી વિનંતી છે કે, અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લોકોના વાહનો જપ્ત કરવામાં ન આવે તેમજ જે વાહનો જપ્ત કર્યા છે તેમાં દંડ વસૂલ કરવાના બદલે ફક્ત લેખિત બાંહેધરી લઈને છોડી મુકવામાં આવે.

હવે માજી સૈનિકો આંદોલનના માર્ગે, પોલીસે ગાંધીનગર જતા અટકાવ્યા : જુઓ વિડીયો
બ્રાહ્મણો આનંદો : મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણોને ગુજરાત સરકાર રાહત પેકેજ આપે તેવી શક્યતા? જાણો વિગત
રાજદ્રોહનો કાયદો આંતરિક સુરક્ષા માટે જરૂરી, તેને રદ ન કરશો; કાયદાપંચે સજા વધારવાની કરી ભલામણ
મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, જાણો શું કહ્યું
સરસપુરનો શંકાસ્પદ કોરોના દર્દી ગાંધીનગર સિવિલમાંથી ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત સરકારનો મોટો નિર્ણય: લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોટલો,માલવાહક હેરાફેરી શરૂ કરાશે
Next Article ભાજપના MLA હર્ષ સંઘવીનું અવનવું : ગરીબોને સહાય સેવાના તાયફામાં સોશ્યિલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up