By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કૈલાશનગર સાંઈ યુવક મંડળ દ્વારા જરૂરિયાત મંદો,સરકારી કર્મચારીઓ માટે ફૂડ વિતરણ કાર્યક્રમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કૈલાશનગર સાંઈ યુવક મંડળ દ્વારા જરૂરિયાત મંદો,સરકારી કર્મચારીઓ માટે ફૂડ વિતરણ કાર્યક્રમ
GeneralSurat

કૈલાશનગર સાંઈ યુવક મંડળ દ્વારા જરૂરિયાત મંદો,સરકારી કર્મચારીઓ માટે ફૂડ વિતરણ કાર્યક્રમ

HM News
Last updated: 13/04/2020 1:05 PM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સુરતના કૈલાશનગર ગરબા ચોક ખાતે છેલ્લા પંદર દિવસ કરતા વધુ લોકડાઉનના સમયમાં નિરંતર વિવિધ સેવા કાર્યો સ્થાનિક સાંઈ યુવક મંડળના સેવકો દ્વારા કરાય રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન અંગે જાહેરાત કરી હતી ત્યારથી સાંઈ યુવક મંડળએ દૃઢ સંકલ્પ લઈ સામાજિક સેવાનું બીડું ઉપાડ્યું છે.જે હાલમાં પણ કાર્યરત છે.જેમાં ખાસ કરીને જરુરિયાત મંદ ગરીબો અને સરકારી કર્મચારીઓને દૈનિક ધોરણે ફૂડ પેકેટ્સ અને છાશ તથા ચાહ પાણી જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

આ અંગે સાંઈ મંડળના સામાજિક કાર્યકર્તા અને સભ્ય હેમંત રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીજી એ લોકડાઉન જાહર કર્યું ત્યારથી જ સુરત શહેર સાઈ યુવક મંડળ દ્વારા સેવાલક્ષી કામગીરી તમામ સાંઈ ભક્તો અને સેવકોના માધ્યમથી પાર પાડવામાં આવી રહી છે.મંડળ દ્વારા આ ઉપરાંત તકેદારી અને સરકારી ગાઈડલાઈનને અનુસરી ચુસ્તતાપૂર્વક આ સેવા યજ્ઞ આગળ વધારવામાં આવ્યો છે.મંડળના તમામ સેવકો માસ્ક સેનિટાઇઝર ગ્લોવ્ઝનો ઉપયોગ કરી માનવીય ધોરણે ફૂડ પેકેટ્સથી લઈ જીવનજરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ પણ કરી રહ્યા છે.સાંઈ સેવા મંડળ દ્વારા છેલ્લા બે દિવસથી સતત કૈલાશ નગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ટ્રેકટર મારફતે સૅનેટાઇઝ કરવામાં સ્વયં સેવકો ખડે પગે સેવાકાર્ય કરી રહ્યા છે.

અંતે તેમને જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી સામે લડવા અને રાજ્ય સરકાર સહીત તમામ તંત્રોને સહાયરૂપ બનવા તમામ સાંઈ સેવકો તત્પર છે અને દ્રઢ સંકલ્પથી કોરોના મહામારી સામે સરકાર સાથે એકજુથ થઈ સેવા સહકાર આપવા પણ તૈયાર છે.

આ સમગ્ર લોકડાઉનના સમયે સુરત શહેર સાંઈ યુવક મંડળ ટ્રસ્ટના સેવાકાર્યમાં હેમંત રાવલ સહીત દર્શન સોરઠીયા,મયંકભાઇ,કલપેશભાઈ સોરઠીયા,ધ્રુવ ભાઈ,દેવેશભાઈ સોરઠીયા અને તમામ મંડળના સાંઈ ભક્તોએ ઉમદા સહયોગ આપી સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા છે.

‘ઇન્ડિયન આઇડલ ૧૧’નો ખિતાબ ભટિંડાનો સની હિન્દુસ્તાની જીત્યો
ભુપેન્દ્ર પટેલ સરકારના બજેટનું કદ અને ધારાસભ્‍યોની ગ્રાન્‍ટ વધશે : નવા MLA આવાસની યોજના
કેજરીવાલે સુરત એરપોર્ટ બહાર કોને જોઈને કાર રોકી ? જનતા માટે શું કહ્યું ….
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલાને મળશે ઈનામ, ભાજપ હાર્દિક-અલ્પેશને આપી શકે છે ટિકિટ
સ્વીડનમાં ઈદના દિવસે મસ્જિદની સામે જ સળગાવાઈ કુરાન, ભડકી ઉઠ્યા મુસ્લિમ દેશ
Share This Article
Facebook Email Print
Previous Article સૌ સાથે મળીને કોરોના સામે વિજય મેળવીશું જ : મુખ્યમંત્રી વિજય રૂપાણી
Next Article કોરોનાનો કહેર, વડોદરામાં વધુ 4 કેસ પોઝિટીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up