By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતીઓ માટે ખુશખબર, 66 લાખ લોકોના ખાતામાં જમા થશે રૂપિયા 10000 : અશ્વિનિ કુમાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > ગુજરાતીઓ માટે ખુશખબર, 66 લાખ લોકોના ખાતામાં જમા થશે રૂપિયા 10000 : અશ્વિનિ કુમાર
Breaking News

ગુજરાતીઓ માટે ખુશખબર, 66 લાખ લોકોના ખાતામાં જમા થશે રૂપિયા 10000 : અશ્વિનિ કુમાર

HM News
Last updated: 18/04/2020 10:20 AM
HM News
5 years ago
Share
SHARE

– રૂપાણી સરકારનો અભૂતપૂર્વ નિર્ણયઃ બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોના ખાતામાં સોમવારથી જમા થશેઃ સરકાર પર કરોડનો બોજ

રાજ્યના પુરવઠા વિભાગના સચિવ અશ્વિનિ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મહત્વની જાહેરાત કરી છે.તેમણે જણાવ્યુ હતુ કે,રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ 66 લાખ કુટુંબોને સોમવારે બેંક ખાતામાં 1 હજાર રૂપિયા જમા કરવામાં આવશે.આ રકમ માટે કોઈ ફોર્મ ભરવાના રહેશે નહી. સરકારના આ નિર્ણયથી સરકાર પર 660 કરોડનું ભારણ આવશે.તો એપીએલ-વનના લાભાર્થીઓને આગામી દિવસોમાં અનાજ આપવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યુ કે,રાજ્યમાં સિંગતેલનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા મિલ માલિકો સાથે ચર્ચા કરવામાં આવી છે.તદઉપરાંત રાજ્યમાં 63 જેટલા માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

રાજય સરકારે કોરોનાને અનુલક્ષીને ગુજરાતમાં ગરીબીની રેખા નીચે જીવતા ૬૬ લાખ જેટલા પરીવારોને તેના ખાતામાં રૂ.એક-એક હજાર આપવાનો નિર્ણય કર્યો છે.સરકાર સોમવારથી આ નાણા ખાતામાં જમા કરાવવા લાગશે.લાભાર્થી ગરીબ પરીવારો તેનો પોતાની જરૂરીયાત મુજબ બેંકમાંથી ઉપાડી ઉપયોગ કરી શકશે.ભુતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે રૂપીયા ૧૦૦૦ની સહાય કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે.રૂપાણી સરકારે ગરીબો માટે કરેલા અભુતપુર્વ નિર્ણયની તેમના સચિવ અશ્વિીનીકુમારે જાહેરાત કરી છે.તા.ર૦ એપ્રિલથી ૬૬ લાખ બીપીએલ કાર્ડ પરીવારોના ખાતામાં રૂ.એક-એક હજાર સીધા જમા કરાવામાં આવશે.તેના માટે લાભાર્થી પરીવારે કોઇ પુરાવો આપવાની જરૂર નથી.સરકાર પાસે બીપીએલ કાર્ડ ધારકોની વિગતો છે તેના આધારે આ નાણાકીય સહાય તેના ખાતામાં પહોંચાડી દેવામાં આવશે.આ સહાયથી રાજય સરકાર પર રૂ. ૬૬૦ કરોડનો બોજો આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને આ મહિને રેશનકાર્ડે પર કેટલીક જીવન જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપી છે.હવે બીપીએલ પરીવારોને રોકડ સહાય કરીને નવો ઇતિહાસ સર્જયો છે.લોકડાઉનના કારણે ગરીબ લોકો ઘણા દિવસોથી રોજગારી વગર બેઠા છે. તેમના માટે આ સહાય ખુબ રાહતરૂપ બનશે.

સમગ્ર મુંબઇમાં 144ની કલમ લાગું:CAA-NRPનો વિરોધ યથાવત: આગમચેતીના ભાગરૂપે જાહેરાત
વૃદ્ધ દંપતીને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલરની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર
WHOનો ટ્રમ્પને જવાબ, સખણાં રહેજો રાજ,વાઇરસમાં NO રાજનીતિ
T.M પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોકડાઉનમાં ફી ઉઘરાણી કરાતા ઓડિયો મેસજ વાયરલ : ટ્રસ્ટી હરીશ પટેલનો પોતાની સંસ્થાનો લૂલો બચાવ
દિલ્હી હિંસાને પગલે અનુપમ ખેરે રોષ વ્યક્ત કર્યો, કહ્યુ : જિંદગીને સસ્તી ના બનાવો
Share This Article
Facebook Email Print
Previous Article COVID 19 : ઇન્દોરમાં સર્વે કરવા ગયેલી ટીમ પર ચાકૂથી હુમલો
Next Article શર્જીલ ઈમામ સામે ‘રાષ્ટ્રવિરોધી’ ભાષણ કરવા બદલ ચાર્જશીટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up