By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના હવામાનમાં પલટોઃ સૌરાષ્ટ્રના અમુક ભાગમાં પવન સાથે વરસાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતના હવામાનમાં પલટોઃ સૌરાષ્ટ્રના અમુક ભાગમાં પવન સાથે વરસાદ
AhmedabadGeneralGujarat Now

ગુજરાતના હવામાનમાં પલટોઃ સૌરાષ્ટ્રના અમુક ભાગમાં પવન સાથે વરસાદ

HM News
Last updated: 29/04/2020 11:42 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી આવી ઉભી છે.સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં કેટલેક ઠેકાણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગાહી અનુસાર ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ,નવસારી અને વલસાડમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

દરમિયાન, સૌરાષ્ટ્રમાં પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.બાબરા અને જસદણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.બાબરાના કોટડાપીઠા,પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે.

જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.વાદળીયા વાતાવરણ છવાયેલુ રહે છે ત્યારે લાલપુર,કાલાવડ,જામજોધપુર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.ગઈકાલે કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો.28 એપ્રિલે લાલપુર તાલુકામાં પણ સાંજના સમયે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હતો. જેમા લાલપુર તાલુકાના રક્કા,ખટીયા,મોટા ખડબા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના સડોદર,સમાણા,દલદેવાડીયા,નરમાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ખૂબ જ બફારા વચ્ચે કરા સાથે વરસાદ વરસતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.મહત્વનું છે કે, વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે.તલી,મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

આમદની અઠની, ખર્ચા રૂપૈયા: ભાજપની આવક ખર્ચ કરતા વધુ, કોંગ્રેસનો ખર્ચ આવક કરતા વધુ!!!
SMCના 3391 આવાસનું કામ પુર્ણતાના આરે ઃ ડ્રો માટે PM ટાઇમ આપે તેની વાટ
લૉકડાઉનમાં પોલીસ કોઈપણ વ્યક્તિનાં વાહન જપ્ત ન કરે : હાર્દિક પટેલ
ડ્રગ્સ કેસમાં એનસીબીની સૌથી મોટી કાર્યવાહી,મુંબઈના આ પ્રખ્યાત વ્યક્તિની ધરપકડ
સુરતના જ્વેલર્સને ત્યાં ITના દરોડામાં રૂ. 200 કરોડના વ્યવહાર મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લામાંથી મજૂરોનું પલાયન હજી પણ યથાવત
Next Article કરોડોના કિંમતની લક્ઝુરીયસ કાર બનાવનાર કંપની રોલ્સ રોયસે મધ બનાવવાનું શરૂ કર્યુ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up