આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ ભાજપના પ્રેદશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપર પ્રહારો કર્યા હતા.તેઓએ સી.આર. પાટીલ પર ચૌધરી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારની ટિપ્પણી કરવાનો આરોપ મુક્યો હતો. સી.આર. પાટીલ ચૌધરી સમાજની માફી માંગે તેવી માંગ કરી હતી.
આપના ઉપાધ્યક્ષે ચૌધરી સમાજના યુવાનો અને સમાજના અગ્રણીઓને સી.આર. પાટીલ દ્વારા અપમાન જનક શબ્દો કહેવામાં આવ્યા હોવાનો આરોપ મુક્યો હતો.નોંધનીય છે કે થોડા સમય પહેલા વડગામ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ચૌધરી સમાજને ઠેસ પહોંચેએ પ્રકારની ટિપ્પણીઓ કરવાનો આરો મુક્યો હતો.
તેને લઈને સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ભારતીય જનતા પાર્ટીને રજૂઆત કરી હતી.પરંતુ વ્યાજબી જવાબ ન મળતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો સમય લેવામાં આવ્યો હતો.પરંતુ સી.આર. પાટીલે ચૌધરી સમાજનુ અપમાન કર્યુ હોવાનો આપના ઉપાધ્યક્ષે આક્ષેપ લગાવ્યો હતો.