By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: AAPના ઇસુદાન અને ઈટાલિયા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > AAPના ઇસુદાન અને ઈટાલિયા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે
GeneralGujarat NowPolitics

AAPના ઇસુદાન અને ઈટાલિયા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે

HM News
Last updated: 15/10/2022 9:33 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાતમાં બે દિવસથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા લાઇમ લાઇટમાં છે.વડાપ્રધાન મોદી પર કરેલ વિવાદિત નિવેદનોના વીડિયો મામલે રાજકીય માહોલ ગરમાયો છે.તેવામાં ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી કે જેમની અવાર નવાર વિવિધ મામલે પ્રતિક્રીયા જોવા મળતી હોય છે.આ ઉપરાંત તેઓ કોઈને કોઈ વાતથી લઈને રાજકીય ચર્ચામાં રહે છે.ત્યારે આ બન્ને આપના મોટા નેતા તરીકે ઉભરી રહ્યા છે.આમ આદમી પાર્ટી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બન્ને નેતાઓને ક્યાં અને કઈ સીટ પરથી લડાવવા તેને લઈને સર્વે કરાવી રહી છે.જેમાં આપના મુખ્યમંત્રી પદના દાવેદાર પણ આ બે લોકો છે તેવી ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં આપનું નામ બનાવશે આ નેતાઓ

આપ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરી રહી છે.તેવા આ બે નેતાઓ એવા છે કે તે ગુજરાતમાં આપનું નામ કરી શકે છે.તેવામાં સુત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ ગોપાલ ઈટાલિયા તથા ઈસુદાન ગઢવીને અલગ અલગ વિસ્તારથી ચૂંટણીના મેદાનામાં ઉતારવામાં આવશે.જેમાં એક નેતા શહેરની સીટ પરથી લડશે તો બીજા નેતાને ગ્રામ્ય સીટ પર લડાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

ત્રણ બેઠકો પરથી ઇસુદાનને લડાવાશે

ગુજરાતમાં આપના મોટા નેતાની યાદીમાં સ્થાન પામનાર ઈસુદાન ગઢવી પહેલાથી જ લોકચાહના ધરાવે છે.ટીવી મીડિયામાં રહી ચૂકેલા ઈસુદાન ગઢવીની રાજકીય ક્ષેત્રની નવી કારકિર્દી છે પોતે સૌરાષ્ટ્રથી આવે છે.સૌરાષ્ટ્રમાં પણ કચ્છને બાદ કરતા 48 બેઠકો છે જેથી ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રથમ ફોકસ છે.માટે રાજકોટ,જામખંભાળીયા કે દ્વારકા આ ત્રણ સીટ પરથી ઈસુદાન ગઢવીને ઉભા રાખવાને લઈને તખ્તો ઘડાઈ રહ્યો છે માટે આ ત્રણ બેઠકો પરથી અત્યારે સર્વે પણ આપ પાર્ટી કરાવી રહી હોવાની સૂત્રો તરફથી વિગતો મળી રહી છે.

ઇટાલીયા માટે બે જગ્યાથી તખ્તો તૈયાર કરાયો

આ ઉપરાંત આપ પાર્ટીના આખા બોલા નેતા તરીકે ઉભરી રહેલા ગોપાલ ઈટાલીયા પણ આપના મોટા નેતા છે અને પાટીદાર છે.કેટલાક દિવસથી તેઓ પાટીદાર હોવાનું રટણ પણ કરી રહ્યા છે.ત્યારે તેઓ પણ આ પ્રકારે પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.જો કે, સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઈટાલિયા માટે બોટાદ અથવા ધારી આ બે જગ્યાથી તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

હવે પંજાબમાં થશે મોટી રાજકીય ઉથાપલપાથલ ? કોંગ્રસના કેપ્ટન અમરિંદર સિંહ BJPમાં જોડાઈ એવી શક્યતા : દિલ્હીમાં સાંજે અમિત શાહ સાથે મુલાકાત
છાપરાભાઠા રોડની પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ
પહાડી પહેરવેશ અને હિમાચલી ટોપીમાં સજ્જ થઈ PM મોદીએ બાબા કેદારનાથના દર્શન કર્યા
અફઘાનિસ્તાન : અશરફ ગનીએ કહ્યું, લોહીની નદીઓ વહે એનાથી બચાવવા મેં દેશ છોડવાનું યોગ્ય સમજ્યું
ચીનના દાંત ખાટા કરી દેવા હવે ભારત પણ તૈયાર : 6 રાઉન્ડની વાતચીત ફેલ, ટોપલેવલની આજે બેઠક થઈ
Share This Article
Facebook Email Print
Previous Article સૌરાષ્ટ્રમાં ભાજપના આંતરિક વિગ્રહને કારણે ગૌરવયાત્રા “ફેલ”, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ફિયાસ્કો
Next Article ફરી આતંકીઓના ટાર્ગેટ પર કાશ્મીર પંડિતો : શોપિંયામાં પુરન કૃષ્ણ ભટ્ટની ગોળી મારી હત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up